ડૂબી છે જઇને નાવ અમારી ક્ષિતિજ પર,
દુનિયાનો ખ્યાલ છે કે પાર ઊતરી ગઇ.
મરીઝ

સવાર – સુરેશ જોષી

(પંતુજીની દૃષ્ટિએ)

આજે સવારે બેઠી નિશાળ,
પવન ઘુંટાવે અક્ષર ઝાલી મધુમાલતીની ડાળ.

હારબંધ આ કબૂતર ગોખે
ગઈ કાલનો પાઠ ઝરોખે;
સવારનો આ ચન્દ્ર રાંકડો –
ધ્રૂજતે હાથે લખેલ આંકડો!
સુર્યકિરણની દોરી રેખા
કોણ, કહોને, માંડે લેખાં?

આજ સવારે બેઠી નિશાળ
પવન ઘુંટાવે અક્ષર ઝાલી મધુમાલતીની ડાળ.

– સુરેશ જોષી

ગંભીર કવિ કોઈક વાર હળવું કાવ્ય લખી નાખે ત્યારે વાંચીને આનંદ થઈ જાય છે. અર્થની આંટીઘૂટીને બદલે નિતાંત કુદરતી કાવ્ય  – જાણે ગંભીર ચહેરા પર  અચાનક પ્રસરી વળેલું સ્મિત 🙂

કોઈ વાર એવો વિચાર આવી જાય કે હાસ્ય-વિનોદને આજદીન સુધી આપણે જે હળાહળ અન્યાય કર્યો છે એના પ્રાયશ્ચિતરૂપે બધા કવિ-લેખકોએ દર ત્રણ રચનાએ એક હળવી (હળવી નહીં તો  કમ સે કમ ‘અ-ગંભીર’) રચના કરવી જ પડે એવો કાયદો કરવો જોઈએ.  શું કહેવું  છે ? 🙂 🙂

2 Comments »

  1. Deval said,

    August 24, 2011 @ 12:38 AM

    Very True sir….bus A-gambhir rachana na standards n norms aapde bhavako ae nakki karvana nahi to a-gambhir pana per pan gambhir lekho-kavitao thai jashe… 😀 …..sundar rachana…thanx for sharing….

  2. વિવેક said,

    August 24, 2011 @ 2:48 AM

    🙂

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment