નથી યાદ ને હાથ પણ આજ ક્યાં છે ?
ગઝલની હતી હસ્તપ્રત માત્ર એક જ.
મનોજ ખંડેરિયા

મન ચીતરીએ – મુકુન્દ પરીખ

હવા મહીં આ ફરફર ફરફર અજવાળાંના પડદે
નમણી તિમીર વેલ ચીતરીએ
તું કહે તો તિમીર કેરું વન ચીતરીએ
નહિતર મોર કે ઢેલ ચીતરીએ….

અજવાળાના કોરા કોરા પડદે
હું તું ના ઓગાળી ભ્રમને
એક જ ભીનું તન ચીતરીએ.
નહિતર નિજ સ્પંદન ચીતરીએ….

આ ચોમાસે થાય કશું, ચીતરીએ.
સૂક્કા વૃક્ષે મથે ફૂટવા એકલદોકલ પર્ણ ચીતરીએ.
તું કહે તો શ્વસતું ભીતર જણ ચીતરીએ.
નહિતર કેવળ મન ચીતરીએ.

મુકુન્દ પરીખ

 અંતરની લાગણીઓને ચીતરવાના કવિના આ અભરખા જીવનની, જીવવાની, કૂંપળો ફૂટવાની અભિલાષાને કેવી નાજૂક અભિવ્યક્તિ આપી જાય છે?

4 Comments »

  1. sagarika said,

    March 28, 2007 @ 11:31 AM

    ખુબ જ ચિત્રાત્મક છે.

  2. Harshad Jangla said,

    March 28, 2007 @ 2:57 PM

    કેવળ મન ચિતરીએ….

    સુંદર ગીત

    હર્ષદ જાંગલા
    એટલાન્ટા યુએસએ

  3. ધવલ said,

    March 28, 2007 @ 10:13 PM

    અજવાળાના કોરા કોરા પડદે
    હું તું ના ઓગાળી ભ્રમને
    એક જ ભીનું તન ચીતરીએ.
    નહિતર નિજ સ્પંદન ચીતરીએ….

    – બહુ સરસ !

  4. વિવેક said,

    March 29, 2007 @ 2:00 AM

    હળવેથી માંહ્યલામાં ઉતરી જાય એવું સરસ ગીત…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment