આશ્ચર્ય છે કે તારા વગર જિંદગી ગઈ
દરિયો મળી શક્યો ન તો રણમાં નદી ગઈ
ભગવતીકુમાર શર્મા

થયો છું – અજય પુરોહિત

અક્ષાંશે નિનાદિત રૂપાંતર થયો છું;
તરત કોઇમાં હું સ્થળાંતર થયો છું.

હિરોશીમા, લોથલ, હડપ્પા થજે તું-
મુલાકાત નામે અવાંતર થયો છું.

નિરુત્તર હતી આ વ્યથાઓ ય નિર્લજ્જ-
ઉદાસી અલગ છે મતાંતર થયો છું.

નિરાદર સમયની હતી ચાલ કેવી?
સવિસ્તર કથામાં સમાંતર થયો છું.

અનાગત અજાણ્યા મળે શબ્દ સામા-
મુસાફર ગઝલનો નિતાંતર થયો છું.

અજય પુરોહિત

2 Comments »

  1. Harshad Jangla said,

    February 28, 2007 @ 10:05 AM

    ગઝલનો મુસાફર….
    સુંદર

    હર્ષદ જાંગલા
    એટલાન્ટા
    યુ એસ એ

  2. ધવલ said,

    February 28, 2007 @ 1:53 PM

    અનાગત અજાણ્યા મળે શબ્દ સામા-
    મુસાફર ગઝલનો નિતાંતર થયો છું.

    – સરસ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment