હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે.
જલન માતરી

આપણે – મણિલાલ હ. પટેલ

કાગળો અક્ષર વગર તે આપણે,
શબ્દ-વિણ ખાલી નગર તે આપણે.

લાગણીની ઓટ છે, ભરતી નથી,
સાવ ખારા દવ અગર તે આપણે.

આજ પાછી યાદ આવી છે તરસ,
વિસ્મરણથી તરબતર તે આપણે.

આજના છાપા સમા તાજા છતાં
જિંદગીથી બેખબર તે આપણે.

ટેરવાંમાં સ્પર્શ નામે શ્હેર છે
આમ જોકે ઘર વગર તે આપણે.

– મણિલાલ હ. પટેલ

અહીં ‘આપણે’માં કવિએ વાચકને પણ સમાવી લીધો છે. જીવનના ખાલીપણાને વર્ણવતી આ ગઝલમાં મારો સૌથી ગમતો શેર – આજના છાપા સમા તાજા છતાં, જિંદગીથી બેખબર તે આપણે. ને છેલ્લો શેર પણ ઘણો સરસ થયો છે.

3 Comments »

  1. Suresh Jani said,

    January 15, 2007 @ 11:33 AM

    ટેરવાંમાં સ્પર્શ નામે શ્હેર છે
    આમ જોકે ઘર વગર તે આપણે.

    આ શેર સમજાયો નહીં .

  2. JaLeBi said,

    February 3, 2007 @ 6:42 AM

    Saras, gGreatest….Keep Writing….

    લાગણીની ઓટ છે, ભરતી નથી,
    સાવ ખારા દવ(???????????) અગર તે આપણે.

    aa samjayu nahi, pan this suits much to lovers who are staying apart.

    JaLeBi

  3. bharat vinzuda said,

    October 12, 2010 @ 10:25 PM

    AE KAGAL NA VAGH CHHE..AETLE NAHI SAMAJAY….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment