દિલ, દીવાલો, પહાડ, રસ્તા- બસ, તિરાડો છે બધે,
કંઈ નથી એવું કે જે અકબંધ છે, શંકા નથી.
– રમેશ શાહ

રણ – વિપાશા મહેતા

રણમાં
એ નદી લાવી.
લોકો કહે
ના, નથી આવી.
લોકો કહે, નદી કેવી રીતે આવે, રણમાં ?

નદી ઉપર એણે બંધ બાંધ્યો.
લોકો કહે,
ના,
બંધ કેવી રીતે આવે, રણમાં ?

બંધ તૂટ્યો ને પૂર આવ્યું
લોકો કહે,
પૂર તે કંઈ આવે, રણમાં ?
પૂર ના આવે, રણમાં.

બધા ડૂબી ગયા, પૂરમાં.
ઘણા બધાં અવાજ આવ્યા
આવું તે કંઈ થાય અમારા રણમાં ?
આવું કાંઈ ન થાય અમારા રણમાં.

– વિપાશા મહેતા

કવિ કલમને પ્રામાણિક્તાથી પકડે ત્યારે એ પયગંબરની કક્ષાએ પહોંચે છે. ઉકેલના વિતંડાવાદમાં પડ્યા વિના જ એ સમસ્યાના મૂળ સુધી ભાવકને અને એ રીતે સમાજને લઈ જઈ શકે છે કેમકે સાચો પયગંબર જ જાણે છે કે સમસ્યાઓનો કોઈ તાર્કિક ઉકેલ હોઈ જ ન શકે. સમસ્યાના મૂળ સુધી સાચા અર્થમાં જે ઘડીએ પહોંચી શકીએ એ ઘડી જ હકીકતમાં સમસ્યાના અંતની શરૂઆત હોય છે.

પ્રસ્તુત કવિતા છતી આંખે આંધળા અને પોતાના અંધત્વને જ દૃષ્ટિ ગણીને જીવતા સમાજની ‘નોન-ફ્લેક્સિબિલિટિ’ની સમસ્યાના મૂળ સુધીનો પ્રવાસ છે.

11 Comments »

  1. હેમંત પુણેકર said,

    March 18, 2011 @ 1:36 AM

    સુંદર કાવ્ય!

  2. સૌરભ શાહ said,

    March 18, 2011 @ 1:49 AM

    ખુબ જ સુન્દર અને અર્થ સભર રચના!!

  3. jigar joshi 'prem' said,

    March 18, 2011 @ 3:53 AM

    રણમાં નદી આવી ખરી….સરસ

  4. મીના છેડા said,

    March 18, 2011 @ 7:09 AM

    બહુ મોટી વાત – બહુ જ સહજતાથી સમજાવી દીધી છે…

  5. Pancham Shukla said,

    March 18, 2011 @ 9:46 AM

    સરસ કાવ્ય.

    કાવ્ય વાંચીને ઈસપની વાતો યાદ આવી ગઈ.

  6. pragnaju said,

    March 18, 2011 @ 10:20 AM

    સ રસ અછાંદસ
    કવિ પયગંબરની કક્ષાએ પહોંચ્યા કે નહીં તે ખબર ન પડી !
    અને
    ‘સમસ્યાઓનો કોઈ તાર્કિક ઉકેલ હોઈ જ ન શકે’ તે વાત પણ તર્કશુધ્ધ નથી
    પણ
    આવું તે કંઈ થાય અમારા રણમાં ?
    આવું કાંઈ ન થાય અમારા રણમાં.
    એ તર્ક છોડી શ્રધ્ધાથી સ્વિકારી લીધુ
    ફ્લેક્સિબિલિટિથી…

  7. Maheshchandra Naik said,

    March 18, 2011 @ 1:07 PM

    સરસ રચના…………..

  8. ધવલ said,

    March 18, 2011 @ 1:57 PM

    ચોટદાર વાત !

  9. DHRUTI MODI said,

    March 18, 2011 @ 3:23 PM

    સુંદર રચના.

  10. Lata Hirani said,

    March 18, 2011 @ 11:17 PM

    કવિતામાં અર્થનો દરિયો અનુભવવો, નદીનો પ્રવાહ કે પછી રણની તરસ અને એમાં ભાવકને ભરપૂર છોડી દે એ કવિ…. વિપાશાએ આ કામ બખૂબી નિભાવ્યુઁ છે……

    લતા જ. હિરાણી

    .

  11. jagdish gurjar said,

    March 22, 2011 @ 9:46 AM

    અર્થોપમ રચના
    રણ્મા વહાણ હાકયુ તમે

    જગદીશ ગૃજર્જર્

    અકલેશ્વર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment