જ્યાં સુધી ‘ઈર્શાદ’ નામે જણ જીવે,
લાગણી પૃથ્વી ઉપર તો છે જ છે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

કાનજી ને કહેજો કે – જયંત પાઠક

કાનજીને કહેજો કે આવશું,
બળ્યા ઝળ્યા અમે બોલીએ તેમાં વાંકું શું પાડવું તમારે!
કુંજોમાં ઘૂમનારા ક્યાંથી જાણો તમે માથે શું વીતે અમારે?
પળની ન મળે નવરાશું…
કાનજીને કહેજો કે આવશું.

મનનો મારગ એક, તનનો દૂજેરો, લાજમહીં અટવાતી આંખો,
સંસારી, કેડીઓમાં આંકેલી ચાલીએ શમણામાં વીંઝીએ પાંખો !
જીવતરની વેચીએ છાશું…
કાનજીને કહેજો કે આવશું.

મ્હેણાંના માર અહીં, ઘરના વહેવાર ને તમ્મારી રીસ વળી તાતી,
હરતાં ફરતાં હાથ રાખી સંભાળીએ ભારથી ન ભાંગી પડે છાતી,
આખી રહેશે તો લેતા આવશું…
કાનજીને કહેજો કે આવશું.

– જયંત પાઠક

2 Comments »

  1. pragnaju said,

    February 25, 2011 @ 2:29 PM

    એક સુંદર રચના
    મનનો મારગ એક, તનનો દૂજેરો, લાજમહીં અટવાતી આંખો,
    સંસારી, કેડીઓમાં આંકેલી ચાલીએ શમણામાં વીંઝીએ પાંખો !
    જીવતરની વેચીએ છાશું…
    કાનજીને કહેજો કે આવશું.
    મધુર મધુર પંક્તીઓ
    સુંદર સ્વરાંકનમાં સાંભળવાની મઝા તો કાંઇ ઔર!!

  2. dHRUTI MODI said,

    February 25, 2011 @ 4:18 PM

    સુંદર ગીત. મઝાની ગોપીની ફરિયાદ અને અંતે તો હદ કરી કહે કે છાતી ન ભાંગી જશે તો તમારી પાસે સાબૂત હૃદય લઈને આવશું. ખૂબ સરસ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment