મહાસમુદ્રના પેટાળ મોટી વાત નથી,
છે આ તો આંસુનું ઊંડાણ, ઝંપલાવ નહીં.
વિવેક મનહર ટેલર

દ્વિધા – જાવેદ અખ્તર

કરોડ ચહેરા
ને એની પાછળ
કરોડ ચહેરા
છે પંથ કે ભીડભાડ કેવળ
ધરા ઉપર દેહ સૌ છવાયા
ચરણ મૂકું ક્યાં અહીં તસુભાર જગ્યા ક્યાં છે?

નિહાળતાં એ વિચાર આવ્યો
કે હમણાં હું જ્યાં છું
શરીર સંકોરી ત્યાં જ રહું હું
કરું શું, કિન્તુ 
મને ખબર છે
હું આમ અટકી ગયો તો

પાછળથી ભીડ જે ઉમટી રહી છે
ચરણ તળે એ મને કચડશે અને રોંદશે એ
હવે જો ચાલું તો
મારા પગમાં જ ભેરવાતાં
કોઇની છાતી
કોઇના બાહુ
કોઇનો ચહેરો

હું ચાલું ત્યારે
જુલમ થશે એ બીજાઓ ઉપર
ને અટકું તો ખુદ
સ્વયમ્ ઉપર હું જુલમ સહું છું

હે અંતરાત્મા ! તને અભિમાન બહુ હતું
તારી ન્યાય બુધ્ધિ ઉપર,ખરું ને?
હવે કહે જોઉં
આજે તારોય શો છે નિર્ણય?

જાવેદ અખ્તર 

અનુવાદ – રઈશ મનીઆર

2 Comments »

  1. wafa said,

    December 13, 2006 @ 7:19 PM

    મુઁઝવણ__જાવેદ અખ્તર
    કરોડો ચહેરાઓ
    અને એના પાછળ
    કરોડો ચહેરાઓ
    આ માર્ગો છે કે ભીંગારીના પુડાઓ
    ધરતી શરીરોથી ઢંકાય ગઈ છે
    કદમ મુકવાની તો શુઁ તલભર જગ્યા નથી.
    આનિરખુઁ છુઁ તો વિચારુઁ છુઁ
    કે હવે જ્યાઁ છુઁ
    ત્યાઁજ સંકોડાઈને ઊભો રહુઁ
    પણ શુઁ કરુઁ
    હુઁ જાણુઁ છુઁ કે
    જો રોકાઈ ગયોતો
    જે ભીડ પાછળ થી આવી રહી છે
    તે મને પોતાના પગોથી છુઁડીનાશે,કચડી નાઁખશે
    તો હવે હુઁ જયારે ચાલુઁ છુઁ
    તો હવે મારાજ પગોમા કચડાય છે
    કોઈની છાતી
    કોઇનો હાથ
    કોઇનો ચહેરો
    જો હુઁ કદમ ઊથાવુઁ
    તો બીજાઓપર જુલમ ગુજારુઁ
    અને જો રોકાઈ જાઊઁ
    તો બીજના જુલ્મોનો શિકાર બનુઁ
    હે ઝમીર
    તને તો તારા ન્યાય પર ગર્વ છે
    જરા સંભળાવી પણ દે
    કે આજે તારો શુઁ ફેંસલો છે. ?
    _જાવેદ અખ્તર(ઉર્દુના મશ્હૂર બોલીવુડી શાયરની અછન્દાસ રચનાનુ ભાષાઁતર-‘વફા,)
    ઝમીર=આત્મા
    Published in Bazme wafa Sunday,July,2006 @2:07AM

    દ્રિધા__જાવેદ અખ્તર

    આપણે ઉભય જે અક્ષર હતાઁ
    આપણુઁ એક દિવસ મિલન થયુઁ
    એક શબ્દ અસ્તિત્વમા આવ્યો
    અને આપણે એક અર્થ પ્રાપ્ત કર્યો
    પછી જાણે શી વિતા આપણા ઉપર પડી
    અને હવે એ પરિસ્થિતિ છે કે
    તુ એક અક્ષર છે
    એક ખાના મા
    વચમા
    કેટલીયે ક્ષણોના ખાના ખાલી છે
    ફરીથી કોઇ શબ્દ બને
    અને આપણે ઉભય કોઇ અર્થ પ્રાપ્ત કરીયેઁ
    એવુ થઈ પણ શકે છે
    પરંતુ
    વિચારવુઁ રહ્યુઁ
    કે પેલા ખાલી ખાનાઓમા આપણે ભરવુઁ શુઁ ?
    _જાવેદ અખ્તર
    (બોલીવુડના મશહૂર શાયર જાવેદ અખતરની આઝાદ નઝમ નોઅનુવાદ_મોહમ્મદઅલીભૈડુ’વફા.)
    Published In Bazmewafa ThursdayJuly6,2006@11.51AM

    For more updates go to

    http://bazmewafa.blogspot.com/

  2. હર્ષદ દવે said,

    November 1, 2018 @ 10:44 AM

    સરસ.
    જાવેદ અખ્તરની કવિતાનો કવિશ્રી રઈશ મનીયાર એ કરેલો અનુવાદ ગમી ગયો.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment