હવે તમારું જીવન લમણાઝીંક વગરનું છે,
નવા વરસનું કેલેન્ડર તારીખ વગરનું છે.
કુલદીપ કારિયા

હોવાપણાનો ભાર હવે ઉપડે નહીં – અનિલ જોશી

આશ્ચર્ય એ જ વાતનું મનમાં રહ્યા કરે,
ખાલીપણાનું ભાન કોઈને નડે નહીં.

વનમાં, ભૂલીને ભાન, રઝળતા પ્રવાસને,
ઊડતાં ઝીણાં પતંગિયા નજરે ચડે નહીં.

દૃશ્યોની પાર જાઉં છું ક્યારેક ટહેલવા,
આંખો મીંચાઈ જાય પછી ઊઘડે નહીં.

મારી લથડતી ચાલના કારણમાં એટલું,
હોવાપણાનો ભાર હવે ઉપડે નહીં.

રસ્તામાં કોઈ ફૂલ શા માણસ મળ્યા હશે,
નહીંતર ‘અનિલ’ આટલો મોડો પડે નહીં.

– અનિલ જોશી

અસ્તિત્વના ભારને સમજવા મથતો આ ગઝલનો પ્રથમ શેર મારો પ્રિય શેર છે. ખાલીપણાનું ભાન કોઈને નડે નહીં  –  એ આજનો પાયાનો  પ્રશ્ન છે.  છેલ્લા  શેરમાં કવિએ પોતાના નામ  સાથે  શ્લેષ કરીને સરસ વાત કરી છે.

3 Comments »

  1. વિવેક said,

    November 22, 2006 @ 11:39 AM

    સુંદર ગઝલ…. મોડા પડવાની વાત પણ જંચી ગઈ અને હોવાપણાનો ભાર પણ અનુભવાયો…

  2. Abhijeet Pandya said,

    February 11, 2009 @ 6:09 PM

    રસ્તામાં કોઈ ફૂલ શા માણસ મળ્યા હશે,
    નહીંતર ‘અનિલ’ આટલો મોડો પડે નહીં.

    ખુબ સરસ શેર. માણસના સ્વભાવનું આબેહુબ વર્ણન કરતી રચના.

  3. Neha said,

    June 28, 2011 @ 6:11 AM

    આશ્ચર્ય એ જ વાતનું મનમાં રહ્યા કરે,
    ખાલીપણાનું ભાન કોઈને નડે નહીં.

    ખુબ જ સત્ય…………

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment