‘ઈર્શાદ’, છેલ્લી ખેપ છે, ભેંકાર ભર નહીં;
થથરી રહ્યાં છે વાવટા બારે જહાજના.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

સાદ – શૂન્ય પાલનપુરી

પતવાર ને સલામ, સિતારાને રામરામ,
મજધારે જઈ રહ્યો છું, કિનારાને રામરામ.

ખુશ છું કે નાખુદાનું કશું ચાલશે નહીં,
નૌકાને તારનાર ઈજારાને રામરામ.

દિલને દઝાડતો રહ્યો; ભડકી શક્યો નહીં,
નિર્માલ્ય એવા પ્રેમ-તિખારાને રામરામ.

મારો જનાજો છે હવે મારી જ ખાંધ પર,
મૃત્યુ પછીના સર્વ સહારાને રામરામ.

દીધો છે સાદ ‘શૂન્ય’ ગહનતાઓએ મને,
કાંઠે ટહેલવાના ધખારાને રામરામ.

– ‘શૂન્ય’ પાલનપુરી

પરંપરાની ગઝલની પણ પોતાની મઝા છે. શેર ચોટદાર હોય તો કદી જૂનો થતો નથી. છેલ્લા ત્રણ શેર આજે ય એટલા જ નવા લાગે છે.

11 Comments »

  1. ઈશ્ક પાલનપુરી said,

    October 5, 2010 @ 10:57 PM

    શુન્ય સાહેબની ઉમદા રચના ! સલામ એમની શાયરી ને

  2. Kirtikant Purohit said,

    October 6, 2010 @ 1:53 AM

    મારો જનાજો છે હવે મારી જ ખાંધ પર,
    મૃત્યુ પછીના સર્વ સહારાને રામરામ.

    શૂન્યની તરોતજા ગઝલ માણવાની મઝા આવી.તેમને સામ્ભળવા તે પણ લ્હાવો હતો.

  3. MANHAR MODY said,

    October 6, 2010 @ 3:04 AM

    શૂન્ય સાહેબની ગઝલના વખાણ કરવા માટે આપણો પનો બહુ ટૂંકો પડે. એમને તો આપણે સાદર સલામ જ કરી શકીએ. મક્તાનો શેર કેટલો ખુદ્દારીભર્યો છે.

    દીધો છે સાદ ‘શૂન્ય’ ગહનતાઓએ મને,
    કાંઠે ટહેલવાના ધખારાને રામરામ.

  4. ઉલ્લાસ ઓઝા said,

    October 6, 2010 @ 5:02 AM

    ગઝલના બાદશાહ ‘શૂન્ય’ સાહેબને સલામ.

  5. jigar joshi 'prem' said,

    October 6, 2010 @ 9:45 AM

    શૂન્ય સા’બને બા-અદબ સલામ !

  6. mahesh dalal said,

    October 6, 2010 @ 11:34 AM

    વાહ વાહ સરસ્

  7. dhrutimodi said,

    October 6, 2010 @ 3:04 PM

    સરસ ગઝલ.ધારદાર શે’ર.
    મારો જનાજો છે હવે મારી જ ખાંધ પર,
    મૃત્યુ પછીના સર્વ સહારાને રામરામ.
    વાહ! વાહ!

  8. વિહંગ વ્યાસ said,

    October 6, 2010 @ 10:19 PM

    વાહ….!

  9. અનામી said,

    October 7, 2010 @ 9:12 AM

    સલામ…

  10. Pushpakant Talati said,

    October 8, 2010 @ 6:42 AM

    પતવાર ને સલામ અને સિતારાને તથા કિનારાને રામરામ કરી મજધારે ઝુકાવનાર , નાવ તારવાનો ઈજારો રાખનાર નાવિક ને પણ સલામ અને રામરામ કહી ખુશી થનારા , સમ્પૂર્ણપણે પ્રજ્વલીત ન થઈ શકનાર અને ફક્ત તણખો કે નાની ચિન્ગારી બની દિલ દઝાડનાર પ્રેમાગ્નિ ને Good-bye કહેનાર વ્યક્તિ જ પોતાનો જનાજો પોતે જાતે ઉપાડવાની ખુમારી બતાવી શકે અને નનામી ઉચકનાર ડાઘુઓની મદદનો ઈન્કાર કરી શકે – અને તે જ મરજીવાઓ ગહનતાઓને પામી શકે . – કાંઠે ટહેલવાના અભરખા રાખનારાઓ આ ઝનૂન તથા ખૂમારી ને વળી શુઁ જાણવાના હતા ? – તેઓ ને તો બસ ફક્ત “રામરામ.”

    અ ફ લા તુ ન – અ ફ લા તુ ન – અ ફ લા તુ ન –

  11. alap said,

    August 5, 2011 @ 2:04 AM

    અaદ્dબભ્ુuત્t

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment