મોહન-પગલાં – કૃષ્ણલાલ શ્રીધરાણી
“જાગો ! ઊઠો ! ભરતભૂમિનાં, રાષ્ટ્રનાં પુત્ર-પુત્રી !
જાલીમોના નખ ઉઝરડે લોહી વ્હેતી ધરિત્રી.”
માતા માટે જીવન ત્યજતાં જંગલી પ્રાણી-પક્ષી,
વર્ષા-વીજે શરીર ઘસતા ડુંગરા ભૂમિ રક્ષી.”
ગાજી ઊઠે અખિલ નભમાં મેઘનો જેમ નાદ,
સાતે સિંધુ ઉપર ફફડે કોઈ તોફાન સાદ,
એવાં એનાં રણ-રમણ-આહલેક નાં ગાન ગાજ્યાં,
ચૌટે, ચોરે, પુર, નગરમાં, ગામડે, લોક જાગ્યાં.
બિડાયેલા કમલદલમાં જેમ વર્ષે તુષાર,
મૃત્યુબીડ્યાં નયનકમલે અમૃતી છંટકાર;
એવા એના જન સકળનાં દુઃખથી આર્ત્ત નેને,
દૈવી દીપ્તિ અકળ પ્રગટી, લોક ઉત્સાહ વ્હેણે !
લોઢામાંથી ધન પ્રગટતું પારસી સ્પર્શ થાતાં !
માટીમાંથી અમર વચને, માનવી ઊભરાતા !
– કૃષ્ણલાલ શ્રીધરાણી
16 સપ્ટેમ્બર 2010ના રોજથી કવિશ્રી કૃષ્ણલાલ શ્રીધરાણીનું જન્મશતાબ્દી વર્ષ શરૂ થયું… કવિશ્રીને લયસ્તરો તરફથી સ્મરણાંજલિ આપવાની સાથોસાથ આજે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે એ મહામાનવને પણ હૃદયપૂર્વક સ્મરી લઈએ…
pragnaju said,
October 2, 2010 @ 5:35 AM
જન્મ શતાબ્દી વર્ષની સ્મરણાંજલિ આ દમદાર પંક્તીઓ દ્વારા
બિડાયેલા કમલદલમાં જેમ વર્ષે તુષાર,
મૃત્યુબીડ્યાં નયનકમલે અમૃતી છંટકાર;
એવા એના જન સકળનાં દુઃખથી આર્ત્ત નેને,
દૈવી દીપ્તિ અકળ પ્રગટી, લોક ઉત્સાહ વ્હેણે !
લોઢામાંથી ધન પ્રગટતું પારસી સ્પર્શ થાતાં !
માટીમાંથી અમર વચને, માનવી ઊભરાતા !
મહામાનવની વાત જીવનમા ઉતારાય તે સાચી અંજલી…
ધવલ said,
October 2, 2010 @ 6:23 AM
લોઢામાંથી ધન પ્રગટતું પારસી સ્પર્શ થાતાં !
માટીમાંથી અમર વચને, માનવી ઊભરાતા !
– અસરદાર !
વિહંગ વ્યાસ said,
October 2, 2010 @ 7:35 AM
ખુબજ સુંદર…..
DR Bharat Makwana said,
October 2, 2010 @ 8:28 AM
સુંદર શૌર્યગીત!
mahesh dalal said,
October 2, 2010 @ 8:06 PM
સરસ રચના
M.Rafique Shaikh, MD said,
October 3, 2010 @ 6:48 AM
સરસ!
આદરણીય કવિશ્રી કૃષ્ણલાલ શ્રીધરાણીને જન્મ શતાબ્દી વર્ષની સ્મરણાંજલિ હું તેમનાં ‘પૂજારી’ કાવ્યને આત્મસત કરવાના મારાં પ્રયાસો દ્વારા આપીશ!
આમ તો આખું ગીત યાદગાર છે પણ આ રહી થોડી મારી favourite પંક્તિઓ…..
ઘંટનાં નાદે કાન ફૂટે મારા, ધૂપથી શ્વાસ રૂંધાય;
ફૂલમાળ દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય;
ન નૈવેદ્ય તારું આ, પૂજારી પાછો જા !
દ્વાર આ સાંકડાં કોણ પ્રવેશે? બહાર ખડી જનતા;
સ્વાર્થ તણું આ મંદિર બાંધ્યું, પ્રેમ નહીં પણ પથરા;
ઓ તું જો ને જરા ! પૂજારી પાછો જા !
ઓ રે પૂજારી ! આ મંદિર કાજે, મજૂર વહે પથરા;
લોહીનું પાણી તો થાય એનું, ને નામ ખાટે નવરા !
અરે તું ના શરમા? પૂજારી પાછો જા !
ખેડૂતને અંગ માટી ભરાતી, અર્ઘ્ય ભર્યો નખમાં;
ધૂપ ધર્યો પરસેવો ઉતારી , ઘંટ બજે ઘણમાં;
પૂજારી સાચો આ ! પૂજારી પાછો જા !
kishor dave said,
October 4, 2010 @ 2:40 PM
ખુબજ સુન્દર કાવ્ય. યાદ કરો કરસનદાસ માનેકને. પુજારિ પાચ્હો જા.———કિશોર દવે
ખુબજ સુન્દર.
kishor dave said,
October 4, 2010 @ 2:58 PM
કર્યા નહિ દેશ નઆ કાર્ય નહિ વિદ્વાનને જાન્યા——-ષ્રિધરાનિ
તેથિ શુ ———-કાવ્ય? ખરેખર સુન્દર્ ટાગોર અને મેઘાનિને યાદ કરો.
kishor dave said,
October 4, 2010 @ 3:27 PM
ખુબજ અદ્ભુત્!
kishor dave said,
October 8, 2010 @ 2:42 PM
COULD YOU HELP US TO POST THE SHRIDHARANI’S ” TETHI SHUN” ? POEM.
WITHOUT THIS GEET 100 YEARS OF CELEBRATION WILL NOT COVER THE
SPIRIT OF SHRI KRISHNA SHRIDHARANI?———–KISHOR DAVE
વિવેક said,
October 9, 2010 @ 2:08 AM
અવશ્ય….