પૂનમ રાતે સામે સામી ડાળ ઉપરથી મંડાતા કંઈ-
ટહુકાના સરવાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
મનોજ ખંડેરિયા

એક બસ સમજણ… હિમાંશુ ભટ્ટ

એક બસ સમજણ જો આવી જાય તો ?
જે મળ્યું તેમાં જો ફાવી જાય તો ?

મોક્ષની વાતો બધા કરતા રહે,
તું ધરા પર સ્વર્ગ પામી જાય તો ?

કેમ છે ભીંતો અને સરહદ બધે ?
ચોતરફ વિશ્વાસ વ્યાપી જાય તો ?

આમ તો એ શું હતું ? શબ્દો હતા..
પણ જરા, જો ક્યાંક વાગી જાય તો ?

જેમનાથી જિંદગી દોડ્યા કર્યું,
એ હતું શું ? યાદ આવી જાય તો ?

જે નથી ભૂલ્યો, નથી કરતો હવે,
વાતમાં એ વાત આવી જાય તો ?

પ્રેમ જ્યાં સાચો હશે, બાંધે નહીં,
લાગણી જો નામ પામી જાય તો ?

પાછલી વાતો બધા ભૂલી જશે,
આખરી તું દાવ જીતી જાય તો !

-હિમાંશુ ભટ્ટ

6 Comments »

  1. Mihir said,

    October 29, 2006 @ 12:38 PM

    Excellent. “lagani jo naam pami jay to?” Each sher provides a deeper meaning when you stay with it. Please post more from this poet.

  2. જયશ્રી said,

    October 29, 2006 @ 6:18 PM

    Simply Superb..!!

  3. vihang vyas said,

    October 30, 2006 @ 5:58 AM

    સરસ!

  4. Sangita said,

    October 30, 2006 @ 3:48 PM

    Excellent!!

  5. ઊર્મિસાગર said,

    October 31, 2006 @ 2:51 PM

    પ્રેમ જ્યાં સાચો હશે, બાંધે નહીં,
    લાગણી જો નામ પામી જાય તો ?

    ખૂબ જ સરસ….

    આ બધું છાંદસ માણતાં માણતાં,
    અમને પણ છંદ આવડી જાય તો?

  6. Vijay Shah said,

    November 5, 2006 @ 12:24 PM

    આ બધું છાંદસ માણતાં માણતાં,
    અમને પણ છંદ આવડી જાય તો?

    હા હું પણ સહમત છુ ઉર્મીની વાતમાં

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment