ગયું છે જીવન એટલું ઊંઘવામાં,
મરણમાં રહ્યું છે હવે જાગવાનું.
– રવીન્દ્ર પારેખ

એવું અમથું ક્યારેક – હરિકૃષ્ણ પાઠક

અમથું ક્યારેક કો’ક સાંભરે.
આકાશે હોય નહીં વાદળીની રેખ,
નહીં મોરલાની ગ્હેક,નહીં માટીની મ્હેક;
ક્યાંય શીતળ પવનની એ લ્હેરખી યે ન્હોય
-એમાં વાછટનો વ્હેમ સ્હેજ જાગે :
કોક વરસી રહ્યું છે એમ લાગે;
ને બારીએથી જોઉં તો નેવલાં ઝરે !
એવું અમથું ક્યારેક કો’ક સાંભરે….

સૂની અગાશીમાં સૂનમૂન બેઠો
કે ઓરડામાં પેઠો;
કે મેડીએ ચડીને પછી ઊતરતો હેઠો…
હોય આંગણ ખાલી ને વળી, ફળિયું ખાલી
સાવ શેરી ખાલી
ને એમાં સૂની આ વાટ જાય ચાલી
ત્યાં ઓચિંતા ઘૂઘરા ઘમકે
– ને ભીતર કો’ ઠમકે : અમલ ઘેનઘેરા ચડે
એમ અમથું ક્યારેક કો’ક સાંભરે !

– હરિકૃષ્ણ પાઠક

બુદ્ધ ન હોવા નો ફાયદો !! અજંપાનો આ આનંદ બુદ્ધત્વ સાથે અલોપ થઇ જાય ! Smile

8 Comments »

  1. preetam lakhlani said,

    August 20, 2010 @ 8:20 AM

    હરિકૃષ્ણ પાઠક સાહેબના ગીત વિશે શુ બોલી એ ? બહુ જ સરસ તો મારી સમજણૅ શબ્દને ઓછુ લાગે!….લાજવાબ્…ગમતાનો ગુલાલ્….જેટલુ લખુ એટલુ ઓછુ……..

  2. pragnaju said,

    August 20, 2010 @ 8:30 AM

    ને એમાં સૂની આ વાટ જાય ચાલી
    ત્યાં ઓચિંતા ઘૂઘરા ઘમકે
    – ને ભીતર કો’ ઠમકે : અમલ ઘેનઘેરા ચડે
    એમ અમથું ક્યારેક કો’ક સાંભરે !
    સુંદર અભિવ્યક્તિ

    યાદ આવી અજ્ઞાતની પંક્તીઓ
    ઘરોના નળમાં ‘બુડ…બુડ…’ અવાજ
    ને ડોલોને ઉપડે રિક્તતાની ખાજ,
    સૂના રસ્તાના અવાવરું બિસ્તર પર
    એકલ-દોકલ બગાસાં ખાતી સુસ્ત હવા,
    એમ અમથું ક્યારેક કો’ક સાંભરે !

  3. Kirtikant Purohit said,

    August 20, 2010 @ 11:23 AM

    એમ અમથું ક્યારેક કો’ક સાંભરે !

    આ અજન્પાને કેન્દ્રસ્થ રાખી આપણા આ સશક્ત કવિ આપણને પણ ખેચી જાય છે એ સ્રુષ્ટિમા…. વાહ ,, સરસ રચના અને અદ્ભૂત અભિવ્યક્તિ.

  4. ધવલ said,

    August 20, 2010 @ 3:43 PM

    ત્યાં ઓચિંતા ઘૂઘરા ઘમકે
    – ને ભીતર કો’ ઠમકે : અમલ ઘેનઘેરા ચડે
    એમ અમથું ક્યારેક કો’ક સાંભરે !

    – સરસ !

  5. sudhir patel said,

    August 20, 2010 @ 10:19 PM

    પાઠક સાહેબના સુંદર ગીતનું લય નાવીન્ય પણ આકર્ષક છે!
    સુધીર પટેલ.

  6. વિવેક said,

    August 21, 2010 @ 1:35 AM

    સુંદર રચના…

    પ્રજ્ઞાજુને સાંભરેલી રચના અહીં માણી શકાશે:

    http://vmtailor.com/archives/403

  7. mahesh dalal said,

    August 21, 2010 @ 6:41 AM

    વાહ વાહ પાથક્જિ… આનન્દ આનન્દ ….ગમુતા નો ગુલાલ . વાહ્

  8. વજેસિંહ પારગી said,

    August 22, 2010 @ 3:43 AM

    ગીતમાં યાદ-સ્મરણની સંહિતા આબાદ રીતે અભિવ્યક્ત થઈ છે. શબ્દવિન્યાસ અને પદવિન્યાસ સુશ્લિષ્ટ. શ્રેષ્ઠ ગીતકાવ્યોમાં માનભેર સ્થાન પામે તેવી રચના. કવિને ને લયસ્તરોને અભિનંદન. બંને અંતરા મનભર. ધ્રુવપંક્તિ- અમથું ક્યારેક… એવું અમથું ક્યારેક… એમ અમથું ક્યારેક… યાદની તીવ્રતાની જેમ બદલાતી રહે છે ને રચનાવિધાનમાં ઉપકારક બની રહે છે. કોઈ વિદગ્ધ વિવેચક આ કૃતિનું વિવેચન કરે તો એની ખૂબીઓ જાણવા ને માણવા મળે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment