આપણી વચ્ચે હતી સ્નેહની જે એક કડી,
ભલભલા કષ્ટ કે મનભેદને બસ એ જ નડી.
વિવેક મનહર ટેલર

એકલવાયો – હરીન્દ્ર દવે

મારા એકાંતમાં
ધસી રહી છે એ સભાઓ
– જેમાં હું ગયો નથી.

મારા પુણ્યમાં પ્રબળ
રહ્યાં છે એ પાપો
– જે મેં કર્યાં નથી.

મારી ગતિમાં
જે વળાંકે વળ્યો ન હતો
એ તરફનો ઝોક છે.
નથી આચરી શક્યો
એવા અપરાધોના સિંદૂરથી રચાયો છે
મારી નિર્દોષતાનો અરીસો.

મને એકાંતપ્રિય માનતા મિત્રોને હવે કેમ સમજાવું
કે હું એકલવાયો છું !

– હરીન્દ્ર દવે

આ કવિતામાં કોઈ સંદેશ નથી, માત્ર સચ્ચાઈ છે. જીવનભર લીધેલા નિર્ણયોને કારણે ભલે લોકો તમને બિરદાવ્યા કરે પણ અંતરમન તો જાણતું જ હોય છે કે એ નિર્ણયો ‘લીધેલા’ નહોતાં ‘લેવાય ગયેલા’ હતાં. પગલાં ખોટી દીશામાં ન ઊપડ્યા એમાં મનની શક્તિ કરતા શિથીલતાનો ભાગ વધારે હતો. આવું ખૂબ અંગત અંતરદર્શન ગુજરાતી કવિતામાં ઘણું ઓછું જોવા મળે છે.

4 Comments »

  1. Rachit said,

    September 15, 2006 @ 12:58 PM

    Beautiful creation! Thanks for posting!

  2. Harindra Dave - 2 « My thoughts said,

    September 15, 2006 @ 1:10 PM

    […] Copied from, https://layastaro.com/?p=476 […]

  3. Jayshree said,

    September 16, 2006 @ 12:22 AM

    ખૂબ જ સરસ.

    મને એકાંતપ્રિય માનતા મિત્રોને હવે કેમ સમજાવું
    કે હું એકલવાયો છું !

  4. સુરેશ જાની said,

    September 17, 2006 @ 8:20 AM

    નથી આચરી શક્યો
    એવા અપરાધોના સિંદૂરથી રચાયો છે
    મારી નિર્દોષતાનો અરીસો.

    How frank! Only other equivalent of this frankness is Gandhiji’s autobiography.
    મનથી કરેલાં પાપોનો એકરાર તો આવા વીરલા જ કરી શકે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment