પંખી બનવાની કંઈ જરૂર નથી
આંખ મીંચો અને ઉડાય સખી !
ભરત વિંઝુડા

કરું ફરિયાદ કોને હું?- બાલુભાઇ પટેલ

કરું ફરિયાદ કોને હું?

કરું જ્યાં સ્નેહ સરવાળા,
થતી ત્યાં બાદબાકી (એ) શું?– કરું ફરિયાદ

નજરથી જ્યાં નજર મળતી,
ઢળે ત્યાં પાંપણો એ શું?–કરું ફરિયાદ.

જઉં હું ચૂમવા ફુલને,
ખરે ત્યાં પાંખડી એ શું ?– કરું ફરિયાદ

ડુબાડે નાવ જ્યાં નાવિક,
ભુલાવે પથ પથિક એ શું?– કરું ફરિયાદ

ચખાડી પ્રેમ રસ કોઇ,
કરી પાગલ જતું એ શું? – કરું ફરિયાદ

– બાલુભાઇ પટેલ

 

બાલુભાઇ પટેલનું કામ તો રસ્તા બાંધવાનું છે, પણ તેમનો ગમતો રસ્તો તો કવિતા રચવાનો છે. આ અને બીજાં કાવ્યો શ્રી. પુરૂષોત્તમ ઉપાધ્યાયે ‘ખુશબૂ’ આલ્બમમાં સુંદર રીતે સ્વર બધ્ધ કર્યા છે.

આ ગઝલ શ્રી. આશિત દેસાઇએ તેમના સુરીલા કંઠમાં ગાઇ છે.

4 Comments »

  1. Jayshree said,

    September 13, 2006 @ 8:41 PM

    કરું જ્યાં સ્નેહ સરવાળા,
    થતી ત્યાં બાદબાકી એ શું?

    જઉં હું ચૂમવા ફુલને,
    ખરે ત્યાં પાંખડી એ શું ?

    ખરેખર સુંદર.

  2. ઊર્મિસાગર said,

    September 14, 2006 @ 8:18 AM

    ઢંઢોળી અંતર ઊર્મિને કોઇ,
    આંસુથી રવી જતું એ શું?

    ખૂબ જ સુંદર રચના!!

    ઊર્મિસાગર

  3. વિવેક said,

    September 14, 2006 @ 8:57 AM

    સુંદર રચના… સરળ શબ્દો અને ઉમદા વાત!

  4. divya said,

    August 28, 2008 @ 10:07 AM

    મારે આખુ છાંલક પુસ્તક જોઈએ છે.. એ ક્યાંથિ મળી સકે?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment