રાખે જો વિશ્વને તું વિખરાયેલું, પ્રભુ !
જા, હું ય મારા ઘરને વ્યવસ્થિત નહીં કરું.
રઈશ મનીઆર

મુક્તક – રઈશ મનીઆર

હવાના હાટ પવનની દુકાન રાખે છે
અહીંના લોક વતનની દુકાન રાખે છે
કે હુલ્લડોની જે અફવા અહીં ઉડાવે છે
ગલીના નાકે કફનની દુકાન રાખે છે

– રઈશ મનીઆર

3 Comments »

  1. Alpesh Rathod said,

    January 5, 2009 @ 8:41 AM

    સત્ય ક્થન.
    ન હિન્દુ નિકળ્યા ન મુસલમાન નિકળ્યા,
    કબર ઉગાડીને જોયું તો ઇન્સાન નિકળ્યા…..

  2. mubin said,

    January 6, 2009 @ 1:59 AM

    કોઈ સ્થળે બેચાર મરે છે,
    ક્યાંક કશે દસબાર મરે છે;
    હિન્દુ મુસ્લિમ બંને સલામત,
    માણસ વારંવાર મરે છે.

  3. mubin said,

    January 6, 2009 @ 2:22 AM

    કોઈ સ્થળે બેચાર મરે છે,
    ક્યાંક કશે દસબાર મરે છે;
    નેતા-ધર્મગુરુ બંને સલામત,
    હિન્દુ મુસ્લિમવારંવાર મરે છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment