જઈને વતનમાં એટલું જોયું અમે 'મરીઝ',
મોટા બની ગયા છે બધા બાળપણના દોસ્ત.
મરીઝ

કોણ માનશે- ‘રૂસવા’

મોહતાજ ના કશાનો હતો . કોણ માનશે?
મારો ય એક જમાનો હતો. કોણ માનશે?

ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ,
એ આપનો દિવાનો હતો કોણ માનશે?

તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ,
આ જીવ ભક્ત છાનો હતો, કોણ માનશે?

માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,
ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?

હસવાનો આજે મેં જે અભિનય કર્યો હતો, 
આઘાત દુર્દશાનો હતો, કોણ માનશે?

‘રૂસવા’ કે જે શરાબી મનાતો રહ્યો સદા, 
માણસ બહુ મઝાનો હતો, કોણ માનશે?

–  ‘રૂસવા’

*મોહતાજ = આશ્રિત

 

11 Comments »

  1. ધવલ said,

    September 7, 2006 @ 10:19 PM

    માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,
    ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?

    સરસ વાત ! ‘હા-ના’ ના ચકરાવામાંથી નીકળી જવું એક મોટી સિદ્ધિ છે.

  2. Chetan Framewala said,

    September 8, 2006 @ 10:53 AM

    રૂસવા સહેબની આટલી સુંદર ગઝલ રજુ કરવા બદલ આપનો આભાર .

    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા.

  3. ‘રૂસવા’ મઝલૂમી « ગુજરાતી સારસ્વત પરિચય said,

    December 11, 2006 @ 6:56 AM

    […] “ મોહતાજ ના કશાનો  હતો, કોણ માનશે ?” – મદીરા […]

  4. એક દુખદ સમાચાર « ગુજરાતી સારસ્વત પરિચય said,

    February 14, 2008 @ 2:53 PM

    […] “ મોહતાજ ના કશાનો  હતો, કોણ માનશે ?”  […]

  5. ડૉ. મહેશ રાવલ said,

    February 14, 2008 @ 3:29 PM

    યા ખુદા !
    જનાબ રુસવા સાહેબની ચીરવિદાયથી ગુજરાતી ગઝલ /કવિતા ફરી એકવાર રાંક બની
    રાજકોટનો છું એટલે કાવ્યબેઠકોમાં ઘણીવાર રુસવા સાહેબનું સાનિધ્ય સાંપડ્યું છે.
    પિતાતુલ્યભાવથી એમણે,મારા જેવા અનેક ગઝલકારોને પ્રોત્સાહિત કર્યા છે
    આજે,આપણી વચ્ચેથી એમણે સ્થુળદેહે વિદાય લીધી ગણાશે-પણ
    ગુજરાતી, ઉર્દુ, ભાષાવિદોમાં એમણે અંકિત કરેલો એક એક શબ્દ આપણને અહર્નિશ્ આશીર્વાદ અને માર્ગદર્શન પ્રદાન કરતો રહેશે.
    સલામ છે, એ મોટા ગજાના માણસને અને સલામ છે, એ મજાના માણસને!!
    ઈશ્વર,સદગતના આત્માને પરમ શાંતિ બક્ષે-એવી પ્રાર્થના કરીએ.

  6. Rajendra Trivedi, M.D. said,

    February 14, 2008 @ 6:58 PM

    આપણી વચ્ચેથી એમણે સ્થુળદેહે વિદાય લીધી
    ઈશ્વર,સદગતના આત્માને પરમ શાંતિ બક્ષે-એવી પ્રાર્થના….

  7. એક દુખદ સમાચાર : said,

    February 16, 2008 @ 3:19 AM

    […] “ મોહતાજ ના કશાનો  હતો, કોણ માનશે ?”  […]

  8. એક દુખદ સમાચાર : said,

    February 16, 2008 @ 3:19 AM

    […] “ મોહતાજ ના કશાનો  હતો, કોણ માનશે ?”  […]

  9. himmatlal ataai said,

    June 25, 2012 @ 8:05 PM

    રુસ્વા મઝ્લુમિ એ મારા ગામ દેશિગા થિ ચારેક મા ઇ લ દુર પાજોદ ગામના દરબાર હતા .
    તેઓ કલાકારોને પ્રોત્સાહન આપ તા તેઓ સર્વ ધર્મ ને માન આપતા .તેઓ ના કાગલો મારા ઉપર
    અમેરિકા મા આવેલા .દરેક કાગલો મા જય માતાજિ રામ રામ લખતા
    તેઓ ૮૮ વરસ નિ ઉમરે એક્લા વાદા સિનોર વગેરે સ્થલોએ કુતુમ્બ યાત્રા કરિ આવેલા
    ખુદા તાલા એમના આત્માને શાન્તિ બક્ષે

  10. લયસ્તરો » કોણ માનશે ? – વજ્ર માતરી said,

    October 19, 2013 @ 12:31 AM

    […] ના કશાનો હતો . કોણ માનશે? – રૂસ્વા  https://layastaro.com/?p=432 દુઃખમાં જીવનની ભાળ હતી, કોણ માનશે? […]

  11. મારો ય એક જમાનો હતો. | સૂરસાધના said,

    July 30, 2015 @ 8:39 AM

    […] – આ સુંદર ગઝલ અહીં વાંચો […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment