કોઈ અડક્યું તો કમાલ થઈ ગઈ,
ભીતર ધાંધલધમાલ થઈ ગઈ.
કોઈ આંખ જો ભીની થઈ તો,
કોઈ આંગળી રૂમાલ થઈ ગઈ.
અનિલ ચાવડા

એકલો જાને રે – રવીન્દ્રનાથ ઠાકુર

તારી જો હાક સૂણી કોઈ ના આવે, તો એકલો જાને રે !
એકલો જાને, એકલો જાને, એકલો જાને રે ! – તારી જો …

જો સૌનાં મ્હોં શીવાય,
ઓ રે ઓ રે ઓ અભાગી ! સૌનાં મ્હોં શીવાય,
જયારે સૌએ બેસે મ્હોં ફેરવી, સૌએ ફરી જાય,
ત્યારે હૈયું ખોલી, અરે તું મ્હોં મૂકી, 
તારા મનનું ગાણું, એકલો ગાને રે ! – તારી જો …  

જો સૌએ પાછાં જાય,
ઓ રે ઓ રે ઓ અભાગી ! સૌએ પાછાં જાય,
જયારે રણવગડે નીસરવા ટાણે, સૌ ખૂણે સંતાય,
ત્યારે કાંટા રાને, તું લોહી નીકળતે ચરણે
ભાઈ  એકલો ધા ને રે ! – તારી જો …

જ્યારે દીવો ના ધરે કોઈ,
ઓ રે ઓ રે ઓ અભાગી  ! દીવો ના ધરે કોઈ,
જયારે ઘનઘોર તુફાની રાતે બાર વાસે તને જોઈ,
ત્યારે આભની વીજે સળગી જઈ,
સૌનો દીવો તું એકલો થાને રે !

– રવીન્દ્રનાથ ઠાકુર
( અનુવાદ – મહાદેવભાઈ દેસાઈ )

ગાયક : ભાઈલાલભાઈ શાહ
(આભાર: મેહુલ શાહ)

[audio:http://dhavalshah.com/audio/TariJohak.MP3]

મૂળ બંગાળી રવિન્દ્રનાથના સંગીત સાથે :
ગાયક : કિશોરકુમાર

[audio:http://dhavalshah.com/audio/EkloJane.mp3]

રવિબાબુનું આ કાવ્ય અનિવાર્ય રીતે આકર્ષક છે. શબ્દો કોમળ છે અને દરેક પંક્તિ માં રવીન્દ્રનાથ છલકે છે. અર્થ સ્પષ્ટ છે – મનચાહ્યો  સંગાથ હોવો તો ઘણી સારી વાત છે જ,પરંતુ જયારે આપણે વણખેડાયેલા અથવા જોખમી માર્ગે ધપીએ છીએ ત્યારે સંગાથનો અભાવ આપણા પગની બેડી ન બની જાય તે કાળજી આવશ્યક છે. બાહ્યયાત્રા માટે આ વાત જેટલી સાચી છે તેટલી જ તે અંતરયાત્રા માટે પણ સાચી છે. સાથ ન દેનાર માટે આ કાવ્ય માં કોઈ કટુતા નથી તે આ કાવ્ય ની સુંદરતા છે. 

મૂળ બંગાળીમાં લખાયેલા ગીતનો અનુવાદ પણ ધ્યાનાકર્ષક છે. ગાંધીજી ની વિશેષ પ્રીતિ ને પામેલું આ ગીત Robert Frost ના કાવ્ય – Road  less traveled ની યાદ અપાવે છે.

7 Comments »

  1. ઊર્મિ said,

    January 10, 2010 @ 8:41 PM

    મને ઘણું ગમતું ખૂબ જ મજાનુ ગીત… બંને ભાષાઓમાં સાંભળવાની મજા આવી ગઈ.

    બંગાળી આવૃત્તિઃ શ્રેયા ઘોસલનાં અવાજમાં પણ…

    હિન્દી આવૃત્તિઃ
    તેરી આવાઝ પે કોઈ ના આયે, તો ફિર ચલ અકેલા રે…
    (થોડા બંગાળી મિશ્રણ સાથે તો આ ખૂબ જ મસ્ત લાગે છે… )

  2. Pinki said,

    January 11, 2010 @ 12:03 AM

    સરસ ગીત… !
    ભાઈલાલભાઈએ જ આ ગીત ગાતાં શીખવાડેલું એટલે,
    તેમના અવાજમાં સાંભળવાનો આનંદ અનેરો જ હોય.

    આ ગીત ગાંધીજીને પ્રિય તો હતું જ… પણ ખરેખર તો રવીન્દ્રનાથ ટાગોરે આ ગીત તેમને ઉદ્દેશીને જ લખેલું. ૧૨ માર્ચ ૧૯૩૦નાં રોજ સાબરમતી આશ્રમથી દાંડીયાત્રા શરુ કરી તે પ્રસંગને અનુલક્ષીને આ ગીતની રચના કરેલી. ટાગોરે પોતેજ અંગ્રેજીમાં પણ આ ગીતનો અનુવાદ કર્યો છે.
    http://webmehfil.com/?p=809

  3. મિહિર જાડેજા said,

    January 11, 2010 @ 12:21 AM

    વર્ષો પહેલા બાળપણમાં સ્વતંત્રતા દિવસે એક વાર સાંભળેલુ આ બંગાળી ગીત તરત જ મનમાં વસી ગયું હતું. બંગાળીભાષાની અને ખાસ કરીને રવિંદ્રસંગીતની મીઠાશ ગીતમાં ભારોભાર છે. તિર્થેશભાઈ અને ઊર્મિબહેનનો ખુબ ખુબ આભાર.

  4. વિવેક said,

    January 11, 2010 @ 1:32 AM

    ‘લયસ્તરો’ની ટીમમાં બિલ્લી પગલે પ્રવેશેલા તીર્થેશનું હાર્દિક સ્વાગત છે…

    ઑલ ધ બેસ્ટ, તીર્થેશ !

  5. Girish Parikh said,

    January 11, 2010 @ 11:14 AM

    જયારે ઘનઘોર તુફાની રાતે બાર વાસે તને જોઈ,
    ત્યારે આભની વીજે સળગી જઈ,
    સૌનો દીવો તું એકલો થાને રે !

    ઉપરની પક્તિઓ વાંચતાં આદિલનો નીચેનો શેર યાદ આવ્યોઃ

    આ સઘન અંધકારની વચ્ચે
    કોડિયું થૈ અને બળી જઈએ

    – – ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા E-mail: girish116@yahoo.com
    ગિરીશનું સર્જાતું જતું પુસ્તકઃ “આદિલની ગઝલોનો આનંદ”

  6. pragnaju said,

    January 16, 2010 @ 12:52 PM

    ખૂબ સુંદર રચના મધુર ગાયકીમા…

    અ દ ભૂ ત

  7. komal said,

    May 31, 2014 @ 10:20 PM

    તમારો આભાર………….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment