કદી એક રાવણ, કદી કંસ એક જ હતા પૂરતા તમને અવતારવાને,
અમે આજે લાખો-હજારો વચાળે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?
વિવેક મનહર ટેલર

એ લોકો – વિપિન પરીખ

મકાન પડી ગયું
બાળક દટાઈ ગયું ને
ડોસી બચી ગઈ.
‘આમ કેમ?’ એ પ્રશ્નને
એ લોકો કાટમાળ સાથે ઉપાડી ગયા.

– વિપિન પરીખ

9 Comments »

  1. sapana said,

    September 29, 2009 @ 10:36 PM

    આ પ્રશ્નનો જવાબ હોત તો કેટલી ગુથીઓ સુલજી જાત.સરસ અછાંદસ
    સપના

  2. pragnaju said,

    September 29, 2009 @ 11:04 PM

    આ કવિતા વાંચતા પહેલી નજરે જ ખરી લાગે છે…
    કે ખરી નથી લાગતી ?
    કે ખાલી હસવુ જ આવે છે ?
    … કે ગુસ્સો આવે છે ?
    …. કે પછી બગાસુ આવે છે ?
    ….. યારો, કવિતાની વાત છે …
    જરા દિલ પર હાથ રાખીને જવાબ આપજો !
    …મારી ઊંમર તને લાગે તેમ કહેતી ડોશી બચી જાય અને માસૂમ બાળક કચડાઈ મરી જાય તે વાત-તે પ્રશ્નને-‘એ લોકો કાટમાળ સાથે ઉપાડી ગયા.’

    એટલે – અવદશા – આવતા ભવે – ઈસુ તથા શ્રી મોહનદાસ ગાંધીને -એ લોકો –
    ઓપરેશન પહેલાંની રાત -પરિપક્વતા -પૂર – પ્રયત્ન -પ્રેમને કારણો સાથે -ફૂટપટ્ટી –
    મુક્તક – સફળ માણસો -સોદોની જેમ આનું રસદર્શન વિપિન પરીખ જાતે કરાવે તો?

  3. tahamansuri said,

    September 29, 2009 @ 11:36 PM

    ૩. રતિલાલ “અનિલ”

  4. વિવેક said,

    September 30, 2009 @ 7:01 AM

    થોડામાં ઘણું… મર્મવેધી કવિતા…

  5. અનામી said,

    October 2, 2009 @ 3:29 AM

    …………..આ કારણે જ મને વિપિન પારેખ ગમે છે.

  6. અનામી said,

    October 2, 2009 @ 3:38 AM

    sorry પારેખ નહી પણ પરીખ…..જોકે અંહી પણ કદાચ ભૂલથી કવિતા નીચે પારેખ લખાયું છે…..

  7. kanchankumari parmar said,

    October 3, 2009 @ 6:34 AM

    આપણે ધારિએ શુ? અને થાય શુ? કાળના ગર્ભ મા શુ છુપાયેલુ છે રામ જાણે…..

  8. ચંપક said,

    October 7, 2009 @ 2:04 AM

    યાર્….. વિપિન જી… બહુ મસ્ત લખે છે….
    બહુ જ ટુકા મા જાજુ હોય છે…
    બહુ જ સારુ………….

  9. ચંપક said,

    October 7, 2009 @ 2:05 AM

    દિલમાં આંધી ગઝલ,
    સત્યમાં ગાંધી ગઝલ.

    છોડવું ગમશે બધું,
    એક આ બાંધી ગઝલ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment