સાવ થાકી ગયેલ પગને લઈ
એક ઈચ્છા જ ચાલતા રાખે
ભરત વિંઝુડા

મુક્તક – એસ. એસ. રાહી

કોને ખબર કે કેવો ખુલાસો મળ્યો હશે ?
કિન્તુ એ નક્કી છે કે દિલાસો મળ્યો હશે.
નહીં તો આ દોડતું હરણ ઊભું રહે નહીં
મૃગજળ તરફથી નક્કી જાસો મળ્યો હશે.

– એસ. એસ. રાહી

7 Comments »

  1. sapana said,

    September 23, 2009 @ 11:04 PM

    વાહ..વાહ.ખૂબ સરસ

    મૃગજળ તરફથી નક્કી જસો મળ્યો હશે…વાહ

    સપના

  2. prashant said,

    September 24, 2009 @ 12:24 AM

    ખુબજ સુંદર રચના…

  3. રાકેશ ઠક્કર , વાપી said,

    September 24, 2009 @ 12:28 AM

    મૃગજળ તરફથી નક્કી………… જસો કે જાશો?
    સરસ મુક્તક. આજકાલ ગઝલકારો મુક્તકની અવગણના કરી રહ્યા છે. ભાગ્યે જ મુકતક લખાય છે કે છપાય છે.

  4. રાકેશ ઠક્કર , વાપી said,

    September 24, 2009 @ 12:29 AM

    જસો કે જાસો ? કદાચ ટાઇપીંગની ભૂલ છે.

  5. pragnaju said,

    September 24, 2009 @ 3:23 AM

    નહીં તો આ દોડતું હરણ ઊભું રહે નહીં
    મૃગજળ તરફથી નક્કી જસો મળ્યો હશે.
    વાહ્
    “મને વ્યક્ત કર કાં તને તોડું ફોડું”
    મને કોઈ મનમાંથી આપે છે જાસો
    દેશી નાટકની રમુજ યાદ આવી-
    ‘આપણી વચ્ચે મનમેળના બહુ પ્રયાસો કરી જોયા પછી મને લાગે છે કે આપણે સાથે નહીં જ રહી શકીએ’ એવી પતિની ચિઠ્ઠી પણ નથી નીકળતી
    કે
    નથી નીકળતો કોઇ જાસો કે તમારો છોકરો અમારા કબજામાં છે અને …!

  6. ધવલ said,

    September 24, 2009 @ 12:13 PM

    ખરી વાત છે… જાસો શબ્દ જોઈએ. સુધારી લીધો છે.

  7. અનામી said,

    September 24, 2009 @ 1:53 PM

    no words……..!!!!!!!!!!!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment