બધું ત્યાગી દઈને જાતને પણ ખોઈ દેવાનું,
સમંદરને કદાચિત્ આ નદી સમજાય તો સમજાય.
વિવેક મનહર ટેલર

ગઝલ – શ્યામ સાધુ

તારી નજરમાં જ્યારે અનાદર બની ગયો,
મંજિલ વગરનો જાણે મુસાફર બની ગયો!

ફૂલોનું સ્વપ્ન આંખ માં આંજ્યાના કારણે,
હું પાનખરમાં કેટલો સુંદર બની ગયો?

ક્યાં જઈ હવે એ સ્મિતની હળવાશ માણશું?
હૈયાનો બોજ આંખની ઝરમર બની ગયો!

મુક્તિ મળે છે સાંભળ્યું ચરણોનાં સ્પર્શથી,
રસ્તે હું એ જ કારણે પત્થર બની ગયો!

મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું?
સંસાર, આંખ મીંચી તો નશ્વર બની ગયો!

‘ગઝલનો ગિરનારી મિજાજ’ ધરાવનાર શ્યામ સાધુ (૧૫-૬-૧૯૪૧ થી ૧૬-૧૨-૨૦૦૧) નું મૂળ નામ શામળદાસ સોલંકી. એમની ગઝલોનો અલગારી મિજાજ તો એમના ગઝલ સંગ્રહ ના નામ પરથી જ તાદ્દશ થાય છે – ‘યાયાવરી’, ‘અને થોડાં બીજાં ઇન્દ્રધનુષ્ય’.

7 Comments »

  1. એક ગુજરાતી said,

    January 22, 2006 @ 4:17 PM

    મરણનો ડર લાગતો હતો એટલે “વિશાલ”
    થોડી ગઝલો લખી અમર બની ગયો

  2. ધવલ said,

    January 22, 2006 @ 8:49 PM

    સરસ !

  3. radhika said,

    January 23, 2006 @ 2:05 AM

    મુક્તિ મળે છે સાંભળ્યું ચરણોનાં સ્પર્શથી,
    રસ્તે હું એ જ કારણે પત્થર બની ગયો!

    ખુબ સુંદર, zakkkkkaaaaas……..

  4. shaileshpandya BHINASH said,

    August 5, 2007 @ 5:21 AM

    very very…nice…….

  5. haresh said,

    July 17, 2008 @ 6:36 AM

    ગજલ નો બાદ્સાહ

  6. jeetuThaker said,

    August 26, 2009 @ 9:12 PM

    કયાક ઝરનાનિ ઉદાસિ ,જુઇ ઝુકિ ને, આ ગઝલ મુકો. શ્યામ નિ મઝા

  7. jeetuThaker said,

    August 26, 2009 @ 9:13 PM

    Hareesh Minasru where is he?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment