માત્ર માણસજાતની વસ્તી વધે નહીં
હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ વધે છે
ભરત વિંઝુડા

(ઘર હતાં) – સુરેન ઠાકર ‘મેહુલ’

આંગણું, પરસાળ ને ઊંબર હતાં,
સ્વપ્નમાં પણ શું મજાનાં ઘર હતાં.

ડેલીએ દીવાનગી ઝૂર્યા કરે,
જે ગયાં પગલાં ઘણાં સુંદર હતાં.

એમનાં કર્મોથી એ નશ્વર થયાં,
કર્મ જોકે મૂળ તો ઈશ્વર હતાં.

ગામને પાદર ભરેલી ભવ્યતા,
આમ વચ્ચે કેટલાં પાદર હતાં.

એને આથમણી હવા ભરખી ગઈ
આયનામાં સંસ્કૃતિના સ્તર હતા.

એ પછીથી મોરનાં પીછાં થયાં,
ભીષ્મની શય્યાનાં એ તો શર હતાં.

– સુરેન ઠાકર ‘મેહુલ’

13 Comments »

  1. Kanankumar Trivedi said,

    November 3, 2017 @ 3:50 AM

    વાહ…વાહ… ખૂબ જ સુંદર રચના.

  2. Jaffer Kassam said,

    November 3, 2017 @ 6:58 AM

    MAJA AAWI GAI

  3. સુરેશ જાની said,

    November 3, 2017 @ 8:37 AM

    અનેક ઉદાહરણ સાથે પ્રતિપાદન કે, દરેક શરૂઆત સારી જ હોય છે, પણ જમાનાની હવા એને વિષમ બનાવી દેતી હોય છે. બધા સર્જનનું મૂળ ઈશ્વર જ હોય તો દાનવ અને દાનવતા પણ તેનું જ સર્જન ને?
    આદિલ ઘરેથી નીકળ્યો મિત્રોને શોધવા
    આ દુશ્મની તું ક્યાંથી સામી મળી ગઈ.
    અમુક શેર ન સમજાયા ( ભીષ્મ શૈયા અને મોરનાં પીછાં. ) પણ સાર આ લાગ્યો.

    શા માટે? આ માટે … એમ બે લેખ લખ્યા હતા. વાચકોને ઇચ્છા થાય તો લિન્ક મોકલીશ.

  4. Saaj Mevada said,

    November 3, 2017 @ 8:47 AM

    વાહ! સુંદર ગઝલ્.

  5. Purushottam Mevada said,

    November 3, 2017 @ 8:50 AM

    વાહ, ખૂબજ સરસ રચના, ગમી.

  6. Dilip m. Shah said,

    November 3, 2017 @ 10:54 AM

    Bhai suren
    It remind good all days in junagadh
    During 1955-1960
    When u were in junagadh.
    Excellent
    Vijay rana

  7. Vijay rana said,

    November 3, 2017 @ 12:45 PM

    Bhai suren
    Excellent
    It ramimds golden old days during
    1955- 1960 when u were in junagadh
    Vijay rana

  8. Jayendra Thakar said,

    November 3, 2017 @ 1:04 PM

    ગામને પાદર ભરેલી ભવ્યતા,
    આમ વચ્ચે કેટલાં પાદર હતાં.

    એને આથમણી હવા ભરખી ગઈ
    આયનામાં સંસ્કૃતિના સ્તર હતા.
    હમણાં જ આવું કંઈક વાંચ્યુ…Veergals: Ancient Hindu “Hero Stone” for Dharmic Warriors, depicting their valour

  9. Himanshu said,

    November 3, 2017 @ 6:28 PM

    સરસ રચના

  10. Shivani Shah said,

    November 4, 2017 @ 4:19 AM

    શ્રી જાનીના articleની link મળી શકે તો સારું.

  11. મનસુખલાલ ગાંધી said,

    November 4, 2017 @ 10:37 PM

    વાહ, ખૂબજ સરસ રચના, ગમી.

    મનસુખલાલ ગાંધી

  12. Girish Parikh said,

    November 5, 2017 @ 7:30 AM

    એમનાં કર્મોથી એ નશ્વર થયાં,
    કર્મ જોકે મૂળ તો ઈશ્વર હતાં …શ્રદ્ધા સત્યં તદિયુત્તમ્ મિથુનમ્
    રિદાય લાલા-ઓ ગુલ, પર્દ એ મહો અંજુમ, જહાં જહાં વો છિપે હૈ, અજીબ આલમ હૈ! લાલ ગુલાબની ચાદર પાછળ કે ચાંદતારાના પડદા પાછળ, જ્યાં જ્યાં એ છૂપાયેલા છે, ત્યાં બસ કમાલ કરે છે! અને એને ઓળખવા માટે? ‘નિગાહેં ઈશ્ક’ તો બેપર્દા દેખતી હૈ ઉસે!

  13. લતા હિરાણી said,

    November 11, 2017 @ 3:19 AM

    સારી રચના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment