એમ કોઈ બહાર રહીને આપણી ભીતર રહે,
જેમ ઊડતા પંખીનો પડછાયો ધરતી પર રહે.
આમ અંદર બ્હાર એકાકાર થઈ જાશે પછી,
શો ફરક કે કોઈ મારી બ્હાર કે ભીતર રહે.
મુકુલ ચોક્સી

ખંડેર – ‘આદિલ’ મન્સૂરી

લઈ જાય છે સુગંધ હવા એ વિચારથી,
ફૂલો દબાઈ જાય ના ખુશબૂના ભારથી.

એની સતત નજર અને મારા હૃદય ઉપર ?
કિરણોની દોસ્તી અને એ પણ તુષારથી ?

એને ખબર શું આપની ઝુલ્ફોની છાંયની ?
શોધી રહ્યો છે રાતને સૂરજ સવારથી.

થોડો વિચાર મારા વિષે પણ કરી લઉં,
ફુરસદ મને મળે જો તમારા વિચારથી.

સુખનાય આટલા જ પ્રકારો જો હોય તો,
મનમાં વિચાર આવે છે દુ:ખના પ્રકારથી…

અંદર જુઓ તો સ્વર્ગનો આભાસ થાય પણ
ખંડેર જેવું લાગે છે ,’આદિલ’ બહારથી.

– ‘આદિલ’ મન્સૂરી

 

મક્તામાં ચમત્કૃતિ છે –

ખંડેર જેવું લાગે છે ,’આદિલ’ બહારથી.

ખંડેર જેવું લાગે છે ,આ દિલ બહારથી.

2 Comments »

  1. જગદીશ કરંગીયા ‘સમય’ said,

    June 21, 2017 @ 5:21 AM

    @ ‘આદિલ’ મન્સૂરી – એક એકથી ચડિયાતા શેર. સુંદર ગઝલ.
    @ લયસ્તરો – આભાર.
    જય ભારત.
    —————
    Jagdish Karangiya ‘Samay’
    https://jagdishkarangiya.wordpress.com

  2. વિવેક said,

    June 21, 2017 @ 9:35 AM

    સુંદર ગઝલ… મક્તાનો શ્લેષ જોરદાર.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment