પરબીડિયાની વચ્ચે ઉદાસી ઊગી હશે,
શબ્દો તો એના એ જ છે, અર્થો જુદા હતા.
શ્યામ સાધુ

એક પંખી બેઠું થાય રાખમાંથી – કિશોર જીકાદરા

ક્યાં અને ક્યારે સરી ગઈ હાથમાંથી?
કેમ શોધું આજને ગઈકાલમાંથી?

પ્રશ્ન મોટો છે, નથી રાખી નિશાની,
ખોલવું પાનું કયું ઈતિહાસમાંથી?

ટાંકણે એ કેટલો નીંભર બન્યો છે,
જોઈ લીધું મેં સમયની ચાલમાંથી!

રોગ લાગે છે મને ગંભીર મારો,
રોજ પીંછાં કાં ખરે છે પાંખમાંથી?

આંખ સામે એક પંખી ભસ્મ થાતું,
એક પંખી થાય બેઠું રાખમાંથી!

– કિશોર જીકાદરા

સ્વયંસિદ્ધ ગઝલ… આપણે ભૂત અને ભવિષ્યની ચિંતામાંને ચિંતામાં સોના જેવી આજને જેમ જીવવી જોઈએ એમ જીવી શકતાં નથી… સરકી ગયેલી પળ પછી ગમે એટલી શોધો, હાથ લાગતી જ નથી. સમયની ચાલવાળો શેર પણ બળવત્તર થયો છે. જરૂર પડે ત્યારે જ સમય મૂઢ બની જાય છે, આપણા પ્રશ્નોના જવાબ આપતો નથી. જીજીવિષા અને લાખો નિરાશામાં છુપાયેલી અમર આશાને શબ્દસ્થ કરતો છેલ્લો શેર પણ એવો જ ધ્યાનાર્હ થયો છે.

6 Comments »

  1. amit shah said,

    March 2, 2017 @ 5:07 AM

    EK EK SHER LA JAWAB

    રોગ લાગે છે મને ગંભીર મારો,
    રોજ પીંછાં કાં ખરે છે પાંખમાંથી?

    આંખ સામે એક પંખી ભસ્મ થાતું,
    એક પંખી થાય બેઠું રાખમાંથી!

  2. NARESH SHAH said,

    March 2, 2017 @ 11:39 AM

    નિમ્ભર નો અર્થ સમજાવશો.

  3. Ketan Yajnik said,

    March 2, 2017 @ 11:54 PM

    સરસ બેથા થવાનિ વાત્

  4. poonam said,

    March 3, 2017 @ 2:15 AM

    આંખ સામે એક પંખી ભસ્મ થાતું,
    એક પંખી થાય બેઠું રાખમાંથી!
    – કિશોર જીકાદરા – (Y)

  5. Rakesh Thakkar, Vapi said,

    March 3, 2017 @ 4:13 AM

    સરસ ગઝલ.
    વાહ!
    ટાંકણે એ કેટલો નીંભર બન્યો છે,
    જોઈ લીધું મેં સમયની ચાલમાંથી!

  6. Jigar said,

    March 4, 2017 @ 2:37 PM

    bemisaal rachna… badha j shero adbhut
    pan
    ek jagya thodi khunchi .. .
    “Neembhar banyo” ni jagya e
    “Neembhar thayo” hoy to chhand jalvaay chhe.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment