શંકર બધું જ પી ન શક્યા ‘શૂન્ય’ એટલે
આવ્યું છે વારસામાં અમારે આ ઝેર પણ.
– ‘શૂન્ય’ પાલનપુરી

દિલથી મઝા પડી. – કિશોર મોદી

વાત એટલી હમેશની મળી,
હાલમાં કંઈ નવીનતા નથી.

ઢાઈ અક્ષરથી ભીંત ચીતરી,
લાગણી સમયની ઝગી ઊઠી.

ક્યાં સુધી ‘હું પદ’ને ચગાવશું?
દોરી જીવનની હાથમાં નથી.

પાણી શું વહી જવાનું હોય છે,
શીખ એવી અમનેય સાંપડી.

એટલી સૂઝ અહીં પડી ગઈ,
આખરે જગતમાં કશું નથી.

ઘંટડી સતતતાની સાંભળી,
ને કિશોર દિલથી મઝા પડી.

– કિશોર મોદી

અમેરિકામાં રહીને પણ દક્ષિણ ગુજરાત, ખાસ કરીને સુરતને પોતાના લોહીમાં સતત દોડતું રાખનાર શ્રી કિશોર મોદી આ વખતે લયસ્તરોના આંગણે “વૃત્ત ગઝલો”નો સંગ્રહ, “નામ મારું ટહુકાતું જાય છે” લઈને આવ્યા છે. કવિશ્રીનું સહૃદય સ્વાગત અને મબલખ સ્નેહકામનાઓ…

ગઝલ માટે વપરાતા ફારસી છંદોની જગ્યાએ આપણી કાવ્યપ્રણાલિની ધરોહર સંસ્કૃત વૃત્તોમાં લખાયેલી આ ગઝલો પઠનના સાવ અલગ પડતા કાકુ અને કવિની આગવી બાનીના લીધે કંઈક અલગ જ છાપ છોડી જાય છે.   બધા જ શેર સરસ થયા છે પણ જીવન ક્ષણભંગુર છે, એની દોરી જ આપણા હાથમાં નથી ને કોણ, ક્યારે કાપી જશે એનો લેશભર પણ અંદેશો નથી એ જાણવા છતાં આપણે આપણા અહમ્ ને છોડી શકતા નથીની વાત ઘૂંટતો શેર હાંસિલે-ગઝલ થયો છે.

3 Comments »

  1. Rakesh Thakkar, Vapi said,

    February 4, 2017 @ 2:02 AM

    કિશોરભાઇ, ખરેખર મઝા પડી ! અભિનંદન!
    ઘંટડી સતતતાની સાંભળી,
    ને કિશોર દિલથી મઝા પડી.

  2. KETAN YAJNIK said,

    February 4, 2017 @ 8:33 AM

    નવિન્તમ ગમેી

  3. Maheshchandra Naik said,

    February 4, 2017 @ 5:45 PM

    કવિશ્રીને અભિનદન………
    આપનો આભાર……

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment