અહીં સૌએ મૂક્યાં છે બારણાં, બારીઓ ભીંતોમાં
ગમે ત્યારે બધાને ઘર ખૂલાં કરવાની ઈચ્છા છે
ભરત વિંઝુડા

મેં તો સૂરજને…- મિલિન્દ ગઢવી

મેં તો સૂરજને રોપ્યો છે આંગણે, મારા ફળિયાની કાંકરીયું ઝળહળે રે લોલ
મેં તો ચાંદાને મૂક્યો છે પાંપણે, મારા સપનાના દરિયાઓ ખળભળે રે લોલ…

હું તો કંકુના થાપામાં ખોવાતી જાઉં
બધી મમતાળી આંખ્યુથી જોવાતી જાઉં
મારી મહેંદીનો ગહેકે છે મોરલો, એને સાજણની આંગળીયું સાંભરે રે લોલ…

કોઈ આવીને ઓરતાને ઓરી ગયું,
મારી ઢીંગલીની નીંદરને ચોરી ગયું,
હું તો ઊભી છું ઉમરને ઉંબરે, મારા અંતરમાં ઘૂઘરીયું રણઝણે રે લોલ…

– મિલિન્દ ગઢવી

આજે અથવા કાલે આ યુવા કવિમિત્રના લગ્ન છે….હાર્દિક શુભેચ્છાઓ…..

1 Comment »

  1. વિવેક said,

    February 1, 2017 @ 2:38 AM

    29 જાન્યુઆરીએ લગ્નગ્રંથિથી બંધાયેલા “મિલિન્દ”ને ખૂબ ખૂબ સ્નેહકામનાઓ….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment