આયના ગામના થયા ઘરડા
ઓરતા તોય જેવાતેવા છે?
- વિવેક મનહર ટેલર

ओस की बुंदो पर – नेहल

पीली पत्तीओं के रास्तो से हो कर पहुंचे हैं;
उन मौसमो के मकाम पर,
जहां अब तक एक डाल हरी भरी सी है!
फूलों और काँटों से परे,
तितलीओं और भवरों से अलग,
मौसम के बदलते मिज़ाज ठहर गए है वहां!
ढूँढते नहीं वे अब
बहारो के निशान।
डरते नहीं
पतझड़ की तेज हवाओं के
थपेडो से।
हरी भरी डाली झुकी है जिस
निली सी नदी पर
जहां अब पानीओंमें अक्स
बनते-बिगडते नहीं।
समय का फूल;
अब न सूरज की गर्मी से झुलसता है,
न बारिषों में बहता है!
स्फटिक सा रंगहीन फूल
समाये हुए है सारे रंग
अपने अंदर।
सुकून के पाखी
जीते है उसी की
ओस की बुंदो पर।

– नेहल

મનુષ્ય જીવન નું અંતિમ લક્ષ્ય મોક્ષ કે મુક્તિ કે નિર્વાણ કહો એ શબ્દોમાં વ્યક્ત થઈ શકે નહીં. ‘નેતિ નેતિ ‘ દ્વારા એ શું નથી એ જ વર્ણવી શકાય. એ જ રીતે ઉપરોક્ત ઝેન કવિતા દ્વારા ‘સત્ ચિત્ આનંદ ‘ ની સ્થિતિએ પહોંચેલ મન કેવું હોય એ વ્યક્ત કરવાનો પ્રયાસ થયો છે. ‘પીળી પત્તીઓ’ નો સંદર્ભ પાનખર , બધી ૠતુઓ માણ્યા પછીની ૠતુ….હરમાન હેસ ના ‘સિધ્ધાર્થ ‘ની જેમ જીવન ની બધી અનુભૂતિઓ થી પસાર થઈ ને જ મુકત અવસ્થા સમજાય. ‘હરી ભરી ડાળી’ શિશુ સહજ વિસ્મય અને તાજગીભરી નજર થી દુનિયાને, જીવન ને જોવાના સંદર્ભ માટે વપરાયું છે.

મનની મૌસમ એ મુકામ પર આવીને સ્થિર થઈ છે જ્યાં સુખ દુ:ખ ના ફૂલ કાંટા સમાન છે. બાહ્ય આકર્ષણ, ચળકાટ પર ભમતા પતંગિયા અને ભ્રમરવૃત્તિ થી મન આગળ વધી ગયું છે.મન ને હવે વસંત ની પાછળ ભાગતું નથી અને પાનખર ના તોફાનોથી ડરતું નથી, નકારતું નથી. શિશુ સહજ વિસ્મયથી જીવનને નિહાળવા મનનું જળ દર્પણ સ્થિર જોઈએ અથવા એમ કહી શકાય કે જે તે વસ્તુ પરિસ્થિતિઓનું પ્રતિબિંબ વિકૃત કર્યા વગર પાડી શકે.

સમય નિત્ય છે, સ્ફટિક ની જેમ નિર્મળ છે- neutral છે….એમાં બધા રંગો સમાયેલ હોવા છતાં તે તટસ્થ છે. જે વ્યક્તિએ સમયને, કાળને સમજ્યો છે એને જીવનની વિપરીત પરિસ્થિતિઓનો તાપ અસર કરતો નથી. નથી એ વહી જતો સમયના ઝંઝાવાતી વહેણમાં. પાખી..પંખી..મુકત મનનું પ્રતિક છે સુકૂન…શાંતિ….મુક્ત મન જ અનુભવી શકે અને એને પોષતું તત્ત્વ છે સમયનું ઝાકળ…ક્ષણ…જો ક્ષણમાં જીવતા આવડી જાય તો સુકૂન…શાંતિ…મુક્તિ…દુષ્પ્રાપ્ય નથી.

રચના તેમજ રસાસ્વાદ :- ડૉ. નેહલ વૈદ્ય

આ જ કવયિત્રી દ્વારા ચલાવતો સ્વ-રચિત તેમજ અન્ય ગમતી રચનાઓ નો બ્લોગ – www.inmymindinmyheart.com માણવો આપણે ગમશે…

9 Comments »

  1. Nehal said,

    January 1, 2017 @ 4:36 AM

    I cosider this as a best new year gift anyone can wish to receive!! Thanks team Layastaro!

  2. Girish Parikh said,

    January 1, 2017 @ 11:19 AM

    નેહલ જીઃ
    તમારી આ નૂતન વર્ષની ભેટને સમજવા પ્રયત્ન કરીશ.
    તમારી વેબસાઈટ પર જઈ આવ્યો. ફાધર વાલેસના શબ્દોએ મને જીવવાની પ્રેરણા આપી.
    –ગિરીશ પરીખ

  3. Harshad said,

    January 1, 2017 @ 2:44 PM

    AWESOME !! Nehal very good. GOG bless you my dear.

  4. Harshad said,

    January 1, 2017 @ 2:45 PM

    Sorry for misspelled GOD.

  5. Rina Manek said,

    January 1, 2017 @ 10:37 PM

    Beautiful. ..

  6. Nehal said,

    January 2, 2017 @ 3:19 AM

    @ગિરીશ પરીખ, ખૂબ ખૂબ આભાર. આપના અભિપ્રાય અને પ્રોત્સાહન માટે. ફાધરના સરળ શબ્દો એમના ઉમદા જીવનનો નિચોડ છે એટલે સૌને સ્પર્શી જાય છે.

  7. Nehal said,

    January 2, 2017 @ 3:23 AM

    @Harshad..Thank you so much for your appreciation and kind words. Thanks to Layastaro for posting my work here.though ..I not yet a published writer !

  8. Nehal said,

    January 2, 2017 @ 5:40 AM

    Thanks Rina Manek😊😊

  9. વિવેક said,

    January 3, 2017 @ 4:35 AM

    સુંદર રચના… આસ્વાદ પણ મનનીય…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment