એ જ આશા રાખવામાં સાર છે,
બંધ છે એ શક્યતાનું દ્વાર છે.

આપણી બારી ઉઘાડી રાખીએ,
તો બધે અજવાસ પારાવાર છે.
હર્ષા દવે

નહીં કરું… – રઈશ મનીઆર

સાચો છું તો ય હું મને સાબિત નહીં કરું,
હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું.

આખા ય એના રૂપને અંકિત નહીં કરું,
કાગળ ઉપર ઉતારી કલંકિત નહીં કરું.

આપ્યા કરે એ ફૂલ મને એ જ શર્ત પર,
એકે ય ફૂલ હું કદી સંચિત નહીં કરું.

પામી ગયો, મજા તો બસ ઉથાપવામાં છે,
તેથી હું જાતને કદી સ્થાપિત નહીં કરું.

બીજું કશું ય કરવા સમું પ્રાપ્ત થાય તો,
સાચું કહું છું, હું ય પછી પ્રીત નહીં કરું.

રાખે જો વિશ્વને તું વિખરાયેલું, પ્રભુ !
જા, હું ય મારા ઘરને વ્યવસ્થિત નહીં કરું.

– રઈશ મનીઆર

આમ સરળ લગતી ગઝલમાં પ્રત્યેક શેર તત્વ સુધી પહોંચવાની મથામણનો છે…..

8 Comments »

  1. વિવેક said,

    October 3, 2016 @ 2:26 AM

    જાણીતી ઉત્તમ ગઝલ…

    ફરી ફરી માણવી ગમે એવી… મત્લા તો ચિરકાલિન સર્વશ્રેષ્ઠ શેરમાં સ્થાન પામે એવો…

  2. NAREN said,

    October 3, 2016 @ 4:17 AM

    KHUB SUDNAR RACHNAA

  3. Jigar said,

    October 3, 2016 @ 6:17 AM

    વાહ..ખુબ સરસ

  4. KETAN YAJNIK said,

    October 4, 2016 @ 12:15 AM

    કબૂલ

  5. Rakesh Thakkar, Vapi said,

    October 5, 2016 @ 2:12 AM

    સુંદર.
    આપ્યા કરે એ ફૂલ મને એ જ શર્ત પર,
    એકે ય ફૂલ હું કદી સંચિત નહીં કરું.

  6. Yogesh Shukla said,

    October 6, 2016 @ 3:48 PM

    સરસ રચના , અદભુત ,
    પહેલા શેરથીજ રચના પર પકડ ,

    સાચો છું તો ય હું મને સાબિત નહીં કરું,
    હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું.

    અને છેલ્લો શેર પણ દમદાર ,

    રાખે જો વિશ્વને તું વિખરાયેલું, પ્રભુ !
    જા, હું ય મારા ઘરને વ્યવસ્થિત નહીં કરું.

  7. Dipal Upadhyay said,

    October 9, 2016 @ 10:22 PM

    ખુબ સુંદર

  8. yogesh shukla said,

    May 9, 2017 @ 10:44 PM

    વાહ કવિ શ્રી ,

    બધાજ શેર દમદાર ,
    ખાસ કરીને ,
    આખા ય એના રૂપને અંકિત નહીં કરું,
    કાગળ ઉપર ઉતારી કલંકિત નહીં કરું.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment