નહિ તો જીવનમાં શું હતું નિષ્ક્રિયતા સિવાય
પણ બે ઘડી નિરાંતથી બેસી શક્યા નહીં
જવાહર બક્ષી

ગઝલ – અશ્વિન ચંદારાણા

Bhitar chale aari

ટકી જીદ કોની? ને શું ઝૂઝવાના?
તમે પણ જવાના, અમે પણ રવાના.

તમારા સ્મરણથી એ શેં રૂઝવાના !
તમારા વગર આ જખમ દૂઝવાના.

વકીલો આ બેઠા, અદાલત ભરી છે,
તરાજૂ ખનનખનની ખનકે જવાના.

ભલેને ઉછાળે-પછાડે નકામો,
અમે સાત સાગર તરી ડૂબવાના.

ભલેને અટાણે કટાર્યું પરોવો,
પછીથી તમે પાળિયા પૂજવાના.

– અશ્વિન ચંદારાણા

વડોદરાથી અશ્વિન ચંદારાણા એમનો પ્રથમ ગઝલસંગ્રહ “ભીતર ચાલે આરી” લઈને આવ્યા છે. લયસ્તરોના આંગણે એમનું બાઅદબ સ્વાગત. ખૂબ ખૂબ સ્નેહકામનાઓ…

કવિએ પ્રસ્તુત ગઝલમાં કાફિયાઓ પાસે જે રીતે કામ લીધું છે એ કાબિલ-એ-દાદ છે. ‘જવાના’ની સમાંતરે ‘રવાના’ અને રૂઝવાના’ની વિરુદ્ધમાં ‘દૂઝવાના’ – આ બંને કવિકર્મ અદભુત થયા છે.ખનનખનની ખનક પણ એવી જ મજાની.

4 Comments »

  1. Harshad V Shah said,

    September 1, 2016 @ 7:07 AM

    Very good Gazal

  2. લયસ્તરો » શબ્દની ધજા – મીનાક્ષી ચંદારાણા said,

    September 2, 2016 @ 2:30 AM

    […] ગઝલસંગ્રહ લઈને આવ્યાં છે. ગઈકાલે આપણે અશ્વિન ચંદારાણાની કૃતિ માણી, આજે એમના અર્ધાંગિની […]

  3. Rakesh Thakkar, Vapi said,

    September 2, 2016 @ 6:42 AM

    વાહ!
    વકીલો આ બેઠા, અદાલત ભરી છે,
    તરાજૂ ખનનખનની ખનકે જવાના.
    સ્વાગત અને અભિનંદન !

  4. lata hirani said,

    September 2, 2016 @ 12:22 PM

    wah wah…. abhinandan Ashwinbhai…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment