અવતાર એળે જાય છે એ જાણવા છતાં,
ના મન મહીંથી ચપટી અહંકાર નીકળ્યો.
-સાહિલ

કારણ વગર – હિતેન આનંદપરા

આપણું મળવાનું ક્યાં સંભવ હવે, કારણ વગર
ફોડ પાડીને કહું તો, લાભ કે વળતર વગર

જંગલો ખૂંદી વળેલો, ગામનો જણ – શહેરમાં
બેધડક રસ્તા ઉપર નીકળી શકે નહીં ડર વગર

કાળ તો તત્પર સદા, મારા પ્રહારો ઝીલવા
હું જ પાગલ હાથ ફંગોત્યા કરું ગોફણ વગર

માણસોને ચારવા નીકળી પડેલું આ નગર
સાંજના, ટોળું બની પાછું ફરે માણસ વગર

હું હજારો યુધ્ધનો લઇને અનુભવ શું કરું ?
જિંદગીમાં કાયમી લડવાનું છે લશ્કર વગર

તું ગરીબી આટલી, ક્યારેય ના દેતો ખુદા
આંગણે આવેલ પંખીને ઉડાડું ચણ વગર.

– હિતેન આનંદપરા

5 Comments »

  1. Nilesh Rana said,

    August 2, 2016 @ 8:44 AM

    Sunder Arth Sabhar Gazal

  2. Rakesh Thakkar, Vapi said,

    August 3, 2016 @ 7:13 AM

    બહોત ખૂબ !
    તું ગરીબી આટલી, ક્યારેય ના દેતો ખુદા
    આંગણે આવેલ પંખીને ઉડાડું ચણ વગર.

  3. lata hirani said,

    August 3, 2016 @ 8:52 AM

    superb

    but this one

    હું હજારો યુધ્ધનો લઇને અનુભવ શું કરું ?
    જિંદગીમાં કાયમી લડવાનું છે લશ્કર વગર

    Salam…

  4. Yogesh Shukla said,

    August 7, 2016 @ 7:22 PM

    છેલ્લી પંક્તિ પુરી રચના ની જાન છે ,

    તું ગરીબી આટલી, ક્યારેય ના દેતો ખુદા
    આંગણે આવેલ પંખીને ઉડાડું ચણ વગર.

  5. jadav nareshbhai said,

    August 16, 2016 @ 2:28 AM

    ગઝલ : તા. ૧૩/૦૮/૨૦૧૬
    ગઝલ લખવી છે …..
    બસ તારાજ નામે મારે ગઝલ લખવી છે ;
    ને તારા જ પ્રેમની ઈમારત ચણવી છે :
    આમ મળે જો જીવનભર સાથ તારો હવે ;
    આખીય જિંદગી તારા નામથી તરવી છે ;
    સાવ ફિક્કુ, ફિક્કુ લાગે છે,બસ તારા વિના ય :
    એક તારા જ પ્રેમની મીઠાશ ભરવી છે ;
    તું જ મારા જીવનમાં પ્રેમનો બાગ છે હવે ;
    બસ તારા જ પ્રેમની લહેર માણવી છે :
    એટલે જ આ ગઝલ ય તારા નામથી લખી છે;
    “ જાન” મારી આ ગઝલ અમર કરવી છે :
    કવિ : “જાન “
    જાદવ નરેશ
    મલેક્પુર (વડ)
    મો.નં. ૯૯૨૪૬૧૦૧૨૪

    :ગઝલ : તા. ૧૩/૦૮/૨૦૧૬
    સાવ નવરા (તરહી) ગઝલ …..
    સાવ નવરા જ બેસી રહેવું પોષય નહી ;
    ને કોઈના ઓટલા તોડવા પોષય નહી :
    ઓટલા પર બેસી ગપાટા મારીએ એથી શું ;
    ને કોઈના કાન ફોડવા જ પોષય નહી ;
    સાવ અર્થવગરની નકામી વાતો હોય છે ;
    આમ ખોટા લફારા ઝુડવા પોષય નહી ;
    કંઈ ઉપજે નહી જ ક્શોય સાર ત્યાં જુઓ :
    આમ ખાલી રોફ મારવા ય પોષય નહી ;
    અરે ગપાટા જ મારીને આખર શું મળે છે ;
    “જાન “ બીજામાં વેર રોપવા પોષય નહી ;
    કવિ : “જાન “
    જાદવ નરેશ
    મલેક્પુર (વડ)
    મો.નં. ૯૯૨૪૬૧૦૧૨૪

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment