સંભવે જો આ યુગે તો આ રીતે જ એ ચીખશે:
હેં સુદામા, જે મળ્યું તે બેય હાથે લઈ લીધું ?
વિવેક મનહર ટેલર

મારી કબર પાસે – મેરી એલિઝાબેથ ફ્રે (અનુ. વિવેક મનહર ટેલર)

મારી કબર પાસે ઊભા રહીને ડૂસકાં ન ભરીશ
હું ત્યાં નથી. હું ઊંઘી નથી ગઈ.
હું પવનો છું હજાર જે સુસવાય છે.
હું હીરાકણીઓ છું બરફ પર ચળકતી.
હું પક્વ દાણા પરનો સૂર્યપ્રકાશ છું.
હું પાનખરનો સૌમ્ય વરસાદ છું.
તમે જ્યારે જાગશો સવારની ચુપકીદીમાં,
શાંત પક્ષીઓના ઝુંડને વર્તુળાકાર ઉડાનમાં
ઉંચકનાર પરોઢપક્ષી છું હું.
હું રાતે ચમકનાર મૃદુ તારાઓ છું.
મારી કબર પાસે ઊભા રહીને રડીશ નહીં
હું ત્યાં નથી. હું મરી નથી.

– મેરી એલિઝાબેથ ફ્રે (૧૯૦૫-૨૦૦૪)
(અનુ. વિવેક મનહર ટેલર)

ખ્રિસ્તી અંતિમવિધિઓમાં કદાચ સહુથી વધારે વાર વાંચવામાં આવેલી આ કવિતાના સર્જક વિશે પણ એકમત નથી. એક પારિવારિક મિત્રને એની માતાના અવસાન પર દિલાસો આપવા માટે મેરી એલિઝાબેથ ફ્રેએ 1932માં આ કવિતા લખી હોવાનું માનવામાં આવે છે. આ કવિતાના એકાધિક સ્વરૂપો પણ ઉપલબ્ધ છે. કવયિત્રીની રચનાઓમાંથી આ એક જ કવિતા બચવા પામી છે. કદાચ કવયિત્રીએ લખેલી આ એકમાત્ર જ કવિતા પણ હોઈ શકે.

*

Do Not Stand At My Grave And Weep

Do not stand at my grave and weep
I am not there. I do not sleep.
I am a thousand winds that blow.
I am the diamond glints on snow.
I am the sunlight on ripened grain.
I am the gentle autumn rain.
When you awaken in the morning’s hush
I am the swift uplifting rush
Of quiet birds in circled flight.
I am the soft stars that shine at night.
Do not stand at my grave and cry;
I am not there. I did not die.

– Mary Elizabeth Frye

(Poem courtesy: Poonam Ganatra)

9 Comments »

  1. Rakesh Thakkar, Vapi said,

    July 16, 2016 @ 1:02 AM

    સરસ રચના
    હું ત્યાં નથી. હું મરી નથી.I am not there. I did not die

  2. Rajnikant Vyas said,

    July 16, 2016 @ 4:07 AM

    એક અનોખું કાવ્ય!
    સુંદર ભાવાત્મક અનુવાદ.

  3. Meena Chheda said,

    July 16, 2016 @ 4:20 AM

    ….
    શાંત પક્ષીઓના ઝુંડને વર્તુળાકાર ઉડાનમાં
    ઉંચકનાર પરોઢપક્ષી છું હું.
    ….

  4. Chintan Acharya said,

    July 16, 2016 @ 5:40 AM

    Excellent !

  5. KETAN YAJNIK said,

    July 16, 2016 @ 6:16 AM

    સુંદર ભાવાનુવાદ મૃદુતાથી કહેવાતી અદ્વૈત ની વાત

  6. Dhaval said,

    July 16, 2016 @ 10:42 AM

    સરસ વાત !

  7. nehal said,

    July 16, 2016 @ 1:52 PM

    Sunder abhivyakti!

  8. Poonam said,

    July 17, 2016 @ 7:12 AM

    I did not die…….

  9. Yogesh Shukla said,

    July 18, 2016 @ 2:42 PM

    સરસ રચના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment