ક્યાંક ખૂટે, ક્યાંક તૂટે,
તે છતાં લખતા રહો,
શકય છે આ માર્ગ પર,
આગળ જતાં ઇશ્વર મળે.
હિતેન આનંદપરા

ક્ષણ હસવું, ક્ષણ રડવું – નિરંજન ભગત

ક્ષણ હસવું,  ક્ષણ રડવું;
પૃથ્વી વિણ ક્યાં જડવું ?

સ્વર્ગમહીં નહીં, અહીં સુખદુ:ખે
જનમ જનમ રે જીવું;
પાય જગત જે, હસતે મુખે
સકલ હોંસથી પીવું,
કંઈ મીઠું, કંઈ કડવું !

સ્વર્ગંગાને ક્યાંય નથી રે
જમુનાનો જળઘાટ,
નન્દનવનની માંહ્ય નથી રે
મથુરાપુરની વાટ;
વ્રજ વિણ રે સૌ અડવું !

– નિરંજન ભગત

‘સ્વર્ગ’ શોધવા કરતા કવિને પોતાનું ‘વ્રજ’ જ વહાલું છે. દરેક માણસ માટે પોતાનું ‘વ્રજ’ પોતાની અંદર જ હોય છે – એને જાણી, માણી અને ઉજવી લેવું. જે સહજ છે એને સનાતન ચાહવું.

5 Comments »

  1. મજલિસ said,

    November 4, 2008 @ 5:36 AM

    good words.

  2. pragnaju said,

    November 4, 2008 @ 10:06 AM

    જાણીતા કાવ્યનું મઝાનું રસદર્શન માણી આનંદ

  3. Pinki said,

    November 5, 2008 @ 2:54 AM

    વૈકુંઠથીયે વ્હાલું વ્રજધામ !!

  4. Pravin Shah said,

    November 5, 2008 @ 7:18 AM

    વ્રજ વિણ રે સૌ અડવું ! અહીં સુખદુ:ખે જનમ જનમ રે જીવું;

  5. Sunil Nair said,

    November 5, 2008 @ 8:48 AM

    though I am south Indian but born & bought in Ahmedabad , I am a big fan of Gujarati gazals & lietrature , thank you for providing such fantastic materils , Because my love with Gujarati I have selected my Main subject as Gujarati Lietrature in Gujarat Public Service Commission .
    Thank you once again

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment