હણો ના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગનાં,
લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી.
સુંદરમ્

ગઝલ – ધ્વનિલ પારેખ

વૃક્ષો એ વાતે ગભરાયાં,
ખર ખર ખર ખરવાની કાયા.

હદથી વધુ આ ક્યાં ફેલાયા ?
માણસથી છૂટે ના માયા.

જે પડછાયા થઈને ફરતા
માણસ સઘળા ક્યાં સમજાયા ?

જે ભીંતો બોલે છે સાચું,
સઘળા ખીલા ત્યાં ઠોકાયા.

– ધ્વનિલ પારેખ

આખી ગઝલ મજાની પણ પહેલો અને છેલ્લો શેર શિરમોર.

5 Comments »

  1. poonam said,

    April 9, 2016 @ 5:24 AM

    જે ભીંતો બોલે છે સાચું,
    સઘળા ખીલા ત્યાં ઠોકાયા.

    – ધ્વનિલ પારેખ – વાહ !

  2. Bhadresh Joshi said,

    April 9, 2016 @ 8:44 AM

    Can I have all the comments?

  3. Harshad said,

    April 10, 2016 @ 12:46 PM

    WOW !! Dhvanil its beautiful.

  4. Rakesh Thakkar, Vapi said,

    April 11, 2016 @ 8:24 AM

    Nice
    વૃક્ષો એ વાતે ગભરાયાં,
    ખર ખર ખર ખરવાની કાયા.

  5. Yogesh Shukla said,

    June 2, 2016 @ 4:22 PM

    સીધી સરળ અને સૌ સમજી શકે એવી રચના ,,,,

    જો હું વૃક્ષો માટે લખવા બેસું તો બે લીટી નીચે પ્રમાણે લખું ,

    કપાતું એક એક વૃક્ષ હવે કહેશે ,
    મનુષ્ય ઓક્સીજન વગર કેમ જીવશે ,
    ” યોગેશ શુક્લ “

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment