દાદ એને આપશો તો દુઃખ વધુ દુઃખ આપશે,
સુખ વધુ સુખ આપશે જો નિત્ય સહિયારું થશે.
– કિરીટ ગોસ્વામી

એ સમજની બ્હાર છે – અનિલ ચાવડા

તેજમાં પણ જે નથી ને જે તમસની બ્હાર છે,
કેમ સમજાવું તને કે એ સમજની બ્હાર છે.

ચાલ ચાલે એ પછી તું મ્હાત આપે ને ભલા!
તું રમતમાં છે જ નહિ, તું તો રમતની બ્હાર છે.

સેંકડો ખડકો નીચે ભૂતકાળ દાટી દો છતાં,
ફાટશે જ્વાળામુખી થઈ, એ શમનની બ્હાર છે.

ચાલવા કે દોડવાથી થોડું કંઈ પ્હોંચી શકાય?
છે ઘણા રસ્તા જ એવા જે ચરણની બ્હાર છે.

પી ગયો છું સાત દરિયાનેય નીચોવીને હું,
કૈક એવું લાવ જે મારી તરસની બ્હાર છે.

– અનિલ ચાવડા

ત્રીજો શેર વાંચતા એક જાણીતી ઉક્તિ યાદ આવી – Old sins cast long shadows…… આખી ગઝલ મનનીય અને મજબૂત છે

3 Comments »

  1. Pravinchandra K.Shah said,

    March 29, 2016 @ 3:10 PM

    અસંભવની સમજાઈ જાય એવી કથાનું વક્તવ્ય.

  2. dinesh said,

    March 30, 2016 @ 3:17 AM

    એક્ષેલ્લેન્ટ્……

  3. CHENAM SHUKLA said,

    March 30, 2016 @ 3:40 AM

    પી ગયો છું સાત દરિયાનેય નીચોવીને હું…………….વાહ મઝાની ગઝલ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment