આટલે વર્ષે હવે ઈકરાર ના કરશો તમે,
જામ શું કે ઝેર શું, સઘળું સમય પર જોઈએ.
મનહરલાલ ચોક્સી

લાલ પાલવ – ખલીલ ધનતેજવી

ઘોર અંધારામાં મધરાતે જે ભટકાયો હતો,
ભરબપોરે ગૂમ થયેલો મારો પડછાયો હતો.

હાથ તેં ઊંચો કર્યો હતો આવજો કહેવા અને,
લાલ પાલવ કોઈનો અધવચ્ચે લહેરાયો હતો.

એ ખરો ખોટો હતો, એ તો પછી સાબિત થયું,
એક જણ મૃત્યુ પછી લોકોને સમજાયો હતો.

આ અજાણ્યા શહેરમાં પણ ઓળખે છે સૌ મને,
એ હદે ક્યારે વગોવાયો કે પંકાયો હતો !

જો પતંગિયું હોલવી દેતે તો દુઃખ થાતે મને,
મારો દીવો સીધો વાવાઝોડે ટકરાયો હતો.

ભીંત ફાડીને ઊગ્યો છું પીપળાની જેમ હું,
હું વળી ક્યાં કોઈના ક્યારામાં રોપાયો હતો ?

પર્વતો કૂદી જનારો સ્હેજમાં ભાંગી પડ્યો,
આ વખત એ કોઈની પાંપણથી પટકાયો હતો !

હું ખલીલ, આજે મર્યો છું, એ પ્રથમ ઘટના નથી,
જિન્દગીભર હપ્તે હપ્તે રોજ ચૂકવાયો હતો.

– ખલીલ ધનતેજવી

5 Comments »

  1. KETAN YAJNIK said,

    March 21, 2016 @ 3:11 AM

    मुज़े क्या बुरा था मारना अगर इक बार होता

  2. La Kant Thakkar said,

    March 21, 2016 @ 5:25 AM

    હું વળી ક્યાં કોઈના ક્યારામાં રોપાયો હતો ?
    ઉમદા

  3. rasikbhai said,

    March 21, 2016 @ 8:23 AM

    કોઇ નિ પાપન થિ પતકાયો હતો, બહુ સુન્દર્ મરિઝ નિ યાદ આવિ.

  4. Hasmukh Shah said,

    March 21, 2016 @ 9:49 AM

    અતેી સુન્દર્

  5. jAYANT SHAH said,

    March 27, 2016 @ 9:49 AM

    રોજને રોજ આપણે મરણનો હપ્તો ચુકવતા જતા હોય.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment