આંખ ખૂલી હોય ને બનતા રહે
આંખ ખોલી નાખનારા કંઈ બનાવ
ભરત વિંઝુડા

ઘણાયે ભાર છે – હર્ષ બ્રહ્મભટ્ટ

જિંદગીમાં એટલે અંધાર છે,
ક્યાં હજી અજવાસની હકદાર છે ?

ઊંચકું છું એને હું અડ્ક્યા વિના,
મારી પર એવા ઘણાયે ભાર છે.

મૃત્યુ લગ વ્હેરે છતાં અડકે નહીં,
શ્વાસ પર એવી સમયની ધાર છે.

ફક્ત મૂર્તિને જ એની જાણ છે,
કે પૂજારી કેટલો ખૂંખાર છે.

હું હવે એકાંત બમણું ભોગવું,
કોઈ અંદર છે ન કોઈ બ્હાર છે.

– હર્ષ બ્રહ્મભટ્ટ

ગઝલનો શેર ક્યારેક શ્લોકની કક્ષાએ જઈ ઊભે છે. મત્લાનો શેર જુઓ. કેવી ઊંચી વાત અને કેવા સરળ શબ્દોમાં ! જ્યાં સુધી જિંદગી પોતે અજવાળાની હકદાર નથી બનતી ત્યાં સુધી અંધારું કેમ કરી દૂર થાય ?

સરવાળે બધા જ શેર માર્મિક.

13 Comments »

  1. Ninad Adhyaru said,

    April 23, 2016 @ 2:51 AM

    ફક્ત મૂર્તિને જ એની જાણ છે …

    કૈક અલગ ..!

  2. ketan yajnik said,

    April 23, 2016 @ 3:41 AM

    સરસ્

  3. kiran said,

    April 23, 2016 @ 8:51 AM

    ફક્ત મૂર્તિને જ એની જાણ છે,
    કે પૂજારી કેટલો ખૂંખાર છે.

    બહુજ સરસ

  4. Snehi parmar said,

    April 23, 2016 @ 10:50 AM

    બહુ નાજુક ત્રાજવે તોલી તોલી મોતી ગોઠવ્યા છે. અદ્ભુત નકશીકામ આ ગઝલનું.

  5. vimala said,

    April 23, 2016 @ 1:38 PM

    “ફક્ત મૂર્તિને જ એની જાણ છે,
    કે પૂજારી કેટલો ખૂંખાર છે.”

  6. Pravin K Shah said,

    April 23, 2016 @ 3:35 PM

    બહુ સરસ્

  7. Meena said,

    April 24, 2016 @ 2:04 AM

    ઊંચકું છું એને હું અડ્ક્યા વિના,
    મારી પર એવા ઘણાયે ભાર છે.. Aah!

  8. Nehal said,

    April 24, 2016 @ 8:44 AM

    વાહ!અદભૂત!

  9. NAREN said,

    April 25, 2016 @ 3:42 AM

    જિંદગીમાં એટલે અંધાર છે,
    ક્યાં હજી અજવાસની હકદાર છે લાજવાબ

  10. nirlep said,

    April 26, 2016 @ 3:02 AM

    last two sher…too good !

  11. Gaurang Thaker said,

    April 27, 2016 @ 10:45 AM

    Waah waah sundar gazal…

  12. CHENAM SHUKLA said,

    April 28, 2016 @ 7:44 AM

    વાહ વાહ્…..મસ્ત

  13. લલિત ત્રિવેદી said,

    May 5, 2016 @ 2:30 PM

    વાહ..સરસ ગઝલ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment