‘અઠે દ્વારિકા!’ કહીને બેસી જવાયું,
હતો કંઈક એવો ઉતારાનો જાદુ.
પારુલ ખખ્ખર

ગઝલ – ઉદયન ઠક્કર

ઢોલ નગારે લોકો ત્રૂઠા
જલતરંગના ભાયગ રૂઠાં

સંતુલન આબાદ સાચવ્યું
કાચાં કાવ્યો, પાકાં પૂઠાં!

આંગળીઓ, એનું એ લખશો ?
પકડાવું તમને અંગૂઠા ?

વનપ્રવેશ કરવો શી રીતે ?
પાંચ બાણ ને પાંચે બૂઠાં

મંદિરો ? કે બાળમંદિરો ?
ગજવે ઘંટ, ભણાવે ઉઠાં!

(ત્રૂઠા= સંતોષ પામ્યા)

-ઉદયન ઠક્કર

કવિ ભલે એમ કહેતા હોય કે પાંચ બાણ ને પાંચે બૂઠાં પણ અહીં પાંચ શેરમાંથી એક પણ શેર બૂઠો થયો નથી. કવિને જો કે વનપ્રવેશના સંદર્ભ સાથે પંચેન્દ્રિય અભિભૂત છે એ સમજી શકાય છે. ઘોંઘાટપ્રેમી જનતા જલતરંગ જેવા સંવેદનશીલ વાદ્યનો આનંદ ઊઠાવી શક્તી નથી એના સંદર્ભે પણ કવિ આપણી બુઠ્ઠી થતી જતી સંવેદના તરફ જ અંગૂલિનિર્દેશ કરી રહ્યા છે. વાહ કવિ !

3 Comments »

  1. CHENAM SHUKLA said,

    March 11, 2016 @ 5:19 AM

    વાહ્……સાચી વાત છે ….બધા શેર ધારદાર

  2. Jigar said,

    March 11, 2016 @ 12:57 PM

    brillint poetry !
    લાજવાબ દરેક શેર

  3. Janki said,

    March 12, 2016 @ 12:11 AM

    મંદિરો ? કે બાળમંદિરો ?
    ગજવે ઘંટ, ભણાવે ઉઠાં!
    ખૂબ સરસ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment