પૂર્વગ્રહની પાર કંઈ જોયું નહીં,
તારનારા સાવ આછા જળમાં ડૂબ્યા!
– માધવ રામાનુજ

ગઝલ – પાર્થ પ્રજાપતિ

દર્દનો તેથી વધેલો ભાર છે,
આંસુઓ ડૂસકાંના વારસદાર છે.

બ્હાર ભૂખ્યાને જમાડો પ્રેમથી,
મંદિરોનો એ જ જીર્ણોદ્ધાર છે.

કાચ તૂટેલો મને જોઈ કહે,
એકસરખો આપણો આકાર છે !

વૃક્ષ શ્વાસોનું થયું છે વૃદ્ધ ને,
સૌ કુહાડી મારવા તૈયાર છે !

ડૂસકાઓને હવા આપે છે એ,
શ્વાસનો પણ કેવો અત્યાચાર છે !

નહિ તો ઈશ્વરનેય નીચે મોકલે,
સારું છે કે સૌ અહીં લાચાર છે !

ટોચ પર જાવાનું સપનું રહી જશે,
‘પાર્થ’ ક્યાં થોડોક પણ વગદાર છે ?

– પાર્થ પ્રજાપતિ

આખી ગઝલ સંઘેડા ઉતાર પણ ત્રીજો અને ચોથો શેર તો અદભુત !!!

6 Comments »

  1. NAREN said,

    March 5, 2016 @ 3:19 AM

    ખુબ સુંદર રચના

  2. Rina said,

    March 5, 2016 @ 8:01 AM

    Waaahhhhh

  3. nehal said,

    March 5, 2016 @ 8:27 AM

    Waah

  4. Harshad said,

    March 6, 2016 @ 7:23 PM

    અદભૂત !!

  5. Pravinchandra Kasturchand Shah said,

    March 7, 2016 @ 3:47 PM

    સુ-સુંદર રચના!

  6. vipul said,

    March 14, 2016 @ 3:33 AM

    વાહ જીર્ણોદ્ધાર વળી વાત ખુબ સરસ રીતે લાવ્યા

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment