શું લઉં હું આ નદીમાંથી ? – ભાવિન ગોપાણી
હવે તો તું જ કહે કે શું લઉં હું આ નદીમાંથી ?
તરસને કોઈ પણ કાઢી શક્યું છે માછલીમાંથી ?
ગયા’તા જે, થયાં વર્ષો છતાં પાછા નથી આવ્યા,
ક્ષણો બે ચાર ઉછીની લાવવા આખી સદીમાંથી.
અમારી જિંદગીમાં આવશે વૈભવ ખરેખર, જો,
અમે પામી શકીશું કંઈ તમારી સાદગીમાંથી.
નથી મેં હાથ ઈશ્વરથી મિલાવ્યો આ જ કારણથી,
ઉતારી ના શક્યો એ પણ સુદર્શન, આંગળીમાંથી.
અમારા અંગનું આ સૈન્ય આજે શાંત શાને છે ?
થયો લાગે છે રાજા ગુમ અમારી છાવણીમાંથી.
– ભાવિન ગોપાણી
એક એક શેર શાંતિથી મમળાવવા જેવા…
nehal said,
February 5, 2016 @ 2:23 AM
Waah. ..
CHENAM SHUKLA said,
February 5, 2016 @ 4:47 AM
અમે પામી શકીશું કંઈ તમારી સાદગીમાંથી……………….વાહ્-વાહ્
KETAN YAJNIK said,
February 5, 2016 @ 5:46 AM
સરસ્
nilesh rana said,
February 5, 2016 @ 9:34 AM
નથી મે હાથ સુન્દર શેર
Harshad said,
February 6, 2016 @ 9:36 PM
Beautiful. Like it.