સૌ સબંધોનો તું સરવાળો ન કર,
આ બટકણી ડાળ છે માળો ન કર
ઉર્વીશ વસાવડા

શું લઉં હું આ નદીમાંથી ? – ભાવિન ગોપાણી

હવે તો તું જ કહે કે શું લઉં હું આ નદીમાંથી ?
તરસને કોઈ પણ કાઢી શક્યું છે માછલીમાંથી ?

ગયા’તા જે, થયાં વર્ષો છતાં પાછા નથી આવ્યા,
ક્ષણો બે ચાર ઉછીની લાવવા આખી સદીમાંથી.

અમારી જિંદગીમાં આવશે વૈભવ ખરેખર, જો,
અમે પામી શકીશું કંઈ તમારી સાદગીમાંથી.

નથી મેં હાથ ઈશ્વરથી મિલાવ્યો આ જ કારણથી,
ઉતારી ના શક્યો એ પણ સુદર્શન, આંગળીમાંથી.

અમારા અંગનું આ સૈન્ય આજે શાંત શાને છે ?
થયો લાગે છે રાજા ગુમ અમારી છાવણીમાંથી.

– ભાવિન ગોપાણી

એક એક શેર શાંતિથી મમળાવવા જેવા…

5 Comments »

  1. nehal said,

    February 5, 2016 @ 2:23 AM

    Waah. ..

  2. CHENAM SHUKLA said,

    February 5, 2016 @ 4:47 AM

    અમે પામી શકીશું કંઈ તમારી સાદગીમાંથી……………….વાહ્-વાહ્

  3. KETAN YAJNIK said,

    February 5, 2016 @ 5:46 AM

    સરસ્

  4. nilesh rana said,

    February 5, 2016 @ 9:34 AM

    નથી મે હાથ સુન્દર શેર

  5. Harshad said,

    February 6, 2016 @ 9:36 PM

    Beautiful. Like it.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment