એ કહે તે કરવાનું,
આ ગઝલ છે, ડહાપણ નહીં
જવાહર બક્ષી

ગઝલ – અનિલ ચાવડા

આટલાં વર્ષો ગયાં છે આકરા સંઘર્ષમાં,
જોઈએ શું થાય છે આ આવનારા વર્ષમાં.

રૂપિયા ખૂટી જશે-ની સ્હેજ પણ પરવા નથી,
ખૂટવી ના જોઈએ હિમ્મત હૃદયના પર્સમાં.

એક પણ સંકલ્પ નૈં એવોય ક્યાં સંકલ્પ લઉં !
હું મને શું કામ બાંધું કોઈ પણ આદર્શમાં ?

માત્ર સુખને શું કરું બચકાં ભરું ? પપ્પી કરું ?
જોઈએ પીડાય મારે આખરી નિષ્કર્ષમાં.

પાતળી પળની હથેળીઓ વચાળે જીવવું,
દિ-મહિના-વર્ષ લઈને કાળના સંસ્પર્શમાં.

– અનિલ ચાવડા

હળવાફૂલકા બાંધાવાળી પણ ગંજાવર ગઝલ સાથે લયસ્તરો તરફથી સહુ વાચકમિત્રો ને ખ્રિસ્તી નવું વર્ષ મુબારક…

6 Comments »

  1. Girish Parikh said,

    January 1, 2016 @ 12:51 AM

    ગજબની આ ગઝલ છે અનિલજીની!
    શ્રી ગણેશ કરીશ આવતી કાલે http://www.GirishParikh.wordpress.com બ્લોગ પર ” ‘લયસ્તરો’નો આનંદઃ ગિરીશના ભાવ પ્રતિભાવં” નામની નવી કેટેગોરીના. એમાં આ ગઝલના શેર વિશે લખવા પ્રયત્ન કરીશ.
    –ગિરીશ પરીખ

  2. CHENAM SHUKLA said,

    January 1, 2016 @ 1:08 AM

    વાહ શુ વાત …નવ વરસ્ શરુઆત ધમાકેદાર થઇ ….

  3. Ketan Yajnik said,

    January 1, 2016 @ 7:10 AM

    સભર સાભાર

  4. Monal Shah said,

    January 1, 2016 @ 10:50 AM

    નવા વર્ષના અભિનન્દન!

  5. nehal said,

    January 3, 2016 @ 11:49 AM

    પાતળી પળની હથેળીઓ વચાળે જીવવું,
    દિ-મહિના-વર્ષ લઈને કાળના સંસ્પર્શમાં.
    વાહ !
    લયસ્તરોની ટીમને નવ વર્ષની શુભકામનાઓ!

  6. Harshad said,

    January 30, 2016 @ 1:59 PM

    Nice, like it.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment