‘ઈર્શાદ’, છેલ્લી ખેપ છે, ભેંકાર ભર નહીં;
થથરી રહ્યાં છે વાવટા બારે જહાજના.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

વિચાર્યું હોત તો – પ્રણય જામનગરી

મન તો મન છે, મનને માર્યું હોત તો ?
જે મળ્યું, એને સ્વીકાર્યું હોત તો ?

તીર પાછું કઈ રીતે વાળ્યું વળે ?
છોડતાં પહેલાં વિચાર્યું હોત તો ?

ઘર ખરેખર ઘર મને પણ લાગતે
કોઈ મારે ત્યાં પધાર્યું હોત તો ?

ભારેલા અગ્નિ સમું ધખતું રહ્યું,
એવું મન, ક્યારેક ઠાર્યું હોત તો ?

આજીવન, જીવન બની રહેતે જીવન:
આપણે સાથે ગુજાર્યું હોત તો.

પ્રેમ નફરતમાં કદી પલટાત ના,
આપણું વર્તન સુધાર્યું હોત તો.

રણ તો આખર હોય છે રણ આમ પણ,
એટલું તેં પણ વિચાર્યું હોત તો.

ઘાત ગઈ તારા હૃદય પરથી ‘પ્રણય’
હળવું-મળવું તેં વધાર્યું હોત તો ?

– પ્રણય જામનગરી

મજાની ગઝલ… ત્રણેક શેર નબળા થયા છે, કવિએ એ શેર પડતા મૂકવાનું વિચાર્યું હોત તો આખી ગઝલ સંઘેડા ઉતાર થઈ શકી હોત એમ લાગે છે.

5 Comments »

  1. VIPUL PARMAR said,

    July 17, 2015 @ 2:39 AM

    સુન્દર ગઝલ્………

  2. harish vyas said,

    July 17, 2015 @ 4:38 AM

    વાહ
    મને પણ ગઝલ લખતા આવડયુ હોત તો……

  3. Kiran Chavan said,

    July 17, 2015 @ 4:46 AM

    Wah…sundar

  4. Harshad said,

    July 17, 2015 @ 6:23 PM

    Beautiful !

  5. yogesh shukla said,

    July 17, 2015 @ 7:26 PM

    સુંદર રચના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment