સ્વપ્નને કહેજો પગરખાં વાપરે,
પાંપણોનો માર્ગ પથરાળો હશે.
વિવેક મનહર ટેલર

ઝીલનારો જોઈએ -દાન વાઘેલા

કોક તો પડકારનારો જોઈએ;
મોતને પણ મારનારો જોઈએ !

એ હિમાલયમાં રહે કે હાથમાં;
ભાગ્યને સમજાવનારો જોઈએ !

કાળજું કોરી અને રાખી શકું,
શબ્દ પણ કોરો કુંવારો જોઈએ !

સાવ કોરો પત્ર હું કયાં મોકલું ?
મોકલું તો વાંચનારો જોઈએ !

‘દાન’ તારી વાતમાં છે વીજળી;
મેઘ જેવો ઝીલનારો જોઈએ !

3 Comments »

  1. Abhijeet Pandya said,

    August 29, 2010 @ 2:57 AM

    ગઝલ છંદોબધ્ધ છે. રચના સુંદર છે. દાન વાઘેલા ભાવનગરના આગળ પડતાં ગઝલકારોમા સ્થાન ધરાવે છે.
    ગઝલમાં એકમાત્ર ” કુંવારો ” કિફયામાં દોષ જોવા મળે છે. ગઝલના અન્ય શેરોના કાિફ્યાઑં જેવા કે
    પડકારનારો , મારનારો , સમજાવનારો વગેરેમાં અંતમાં ” નારો ” ની પરંપરા જળવાતી જોવા મળે છે.
    ગઝલના પ્રથમ શેરમાં ઉલા અને સાની િમસરામાં કાિફ્યાઓમાં અંતે “નારો ” થી કાિફ્યાઓ જળવાતા
    જોવા મળે છે. ” કુંવારો ” કાિફ્યામાં અંતે ” વારો ” આવ્તું જોવા મળે છે. લયસ્તરોમાં મુકાતી દરેક ગઝલ
    જો ગઝલશાસ્ત્રના િનયમોને ધ્યાનમાં રાખીને ચકાસીને મુકવામાં આવે તો છંદ રચના અથવા બીજી કોઇ
    અન્ય ભુલો મળે જ નહીં એમ હું માનું છું. મારું સુચન જો ધ્યાન્માં લેવામાં આવે તો વાંચકોને ગઝલ માણવામાં વધુ
    આનંદ મળી શકે એમ હું માનું છું.

    અિભજીત પંડ્યા. ( ભાવનગર ).

  2. bharat vinzuda said,

    August 29, 2010 @ 7:22 AM

    pathya pustako ma pan vividh prakar na dosho vali rachanao hoy chhe !

  3. વિવેક said,

    August 30, 2010 @ 12:37 AM

    પ્રિય અભિજીત,

    આપની બાજનજર તરફ મને શરૂથી જ પક્ષપાત રહ્યો છે. આપ આટલા વર્ષો પહેલાં મૂકાયેલી રચનાઓ પણ એક પછી એક ચકાસી રહ્યા છો એ જોઈ સગર્વ આનંદ થાય છે. હકીકતે તો આ ખજાનો છે જ ફંફોસવા માટે. પ્રસ્તુત ગઝલમાં જે કાફિયા દોષ આપે સૂચવ્યો છે એ બરાબર જ છે. પણ મને લાગે છે કે કવિએ પોતે પોતાની કાવ્યકૃતિ અંગે સાવચેત રહેવું જોઈએ.

    લયસ્તરો પર મારા સિવાય લયસ્તરોના સ્થાપક ધવલ શાહ, અને એ ઉપરાંત બે નવા મિત્રો ઊર્મિ અને તીર્થેશ સંપાદક તરીકે કાર્ય કરે છે જેમાંથી હું અને મોના જ ગઝલશાસ્ત્ર વિશે થોડું ઘણું જ્ઞાન ધરાવીએ છીએ. સંસ્કૃત વૃત્તોની વાત કરીએ તો એમાં તો અમે બે પણ સાવ ‘ઝીરો’ છીએ.

    અમારું મુખ્ય લક્ષ્ય કવિતાનો આત્મા કેવો છે એ તરફ રહે છે એટલે ગઝલમાં કેટલાક સ્વરૂપગત દોષ હોય તો પણ સારી કૃતિ ભાવક સાથે વહેંચવાની લાલચમાં એ જતા કરીએ છીએ….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment