જો ખુદમાં ઝાંક્યું તો સમજણ મને એ લાધી છે:
હું તળ સમજતો હતો જેને એ સપાટી છે.
ડેનિશ જરીવાલા

કવિતા વિશે કવિતા – દિલીપ ઝવેરી

બળતી મીણબત્તીને ફૂંક મારી
કોઈ
બહાર થંભેલા અંધકારને કહે
‘આવ અંદર, અહીં બીવા જેવું કંઈ નથી.’
એમ કવિતા બોલાવે
‘તારું બધું ઓલવીને આવ હવે
.                           ખોવા જેવું કંઈ નથી.’
ખોવાયેલું ગોતતાં મળી જાય તે કવિતા ન હોય
પણ ખોવાયલાનેય જે મળી શકે તે કવિતા.

– દિલીપ ઝવેરી

કવિતાની કેવી સરસ વ્યાખ્યા ! પાશ્ચાત્ય સાહિત્યની વ્યાખ્યાઓ સાથે તંતોતંત ટક્કર ઝીલે એવી.

4 Comments »

  1. urvashi parekh said,

    November 1, 2014 @ 4:55 AM

    સરસ.ખોવાયેલા ને ય જે મળી શકે તે કવીતા.

  2. Jigar Abhani said,

    November 3, 2014 @ 10:17 PM

    અદભુત…

  3. Parth said,

    November 20, 2014 @ 10:41 AM

    khova jevu kai nathi pr kavita puri thai jaay che…. chelli be panktio mane vadhara ni laage che….

  4. હસનઅલી હીરાની said,

    July 12, 2017 @ 1:18 PM

    બહુજ સરસ છે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment