નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મમાં,
ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.
વિવેક મનહર ટેલર

મતભેદ – ‘શિલ્પીન’ થાનકી

સહુ કહે છે: ‘મંદિરે ઈશ્વર નથી’,
હું કહું છું: ‘ત્યાં ફ્ક્ત પથ્થર નથી’.

સહુ કહે છે: ‘ઝાંઝવાં છે રણ મહીં’,
હું કહું છું: ‘ત્યાં નર્યા મૃગજળ નથી’.

સહુ કહે છે: ‘પાનખર છે ઉપવને’,
હું કહું છું: ‘ત્યાં ધરા ઊષર નથી.’

સહુ કહે છે: ‘શૂન્ય છે આકાશ આ’,
હું કહું છું: ‘સૂર્ય આ જર્જર નથી.’

સહુ કહે છે: ‘ક્ષણ સમી છે જિન્દગી’,
હું કહું છું: ‘પ્રાણ મુજ નશ્વર નથી.’

-‘શિલ્પીન’ થાનકી

(ઊષર = ખારાશવાળું)

3 Comments »

  1. પ્રત્યાયન said,

    November 16, 2005 @ 1:11 PM

    Nice poem…negation makes it more sharp.

  2. jaypal said,

    November 6, 2011 @ 11:34 AM

    For information :
    શિલ્પીન થાનકીની રચનાઓ આ બ્લોગ પર ઉપલબ્ધ છે
    http://shilpin-thanky.blogspot.com

  3. Chirag sheth said,

    July 31, 2023 @ 7:59 AM

    શિલ્પીન ભાઈ,
    તમારી ગઝલ ઘેટું ઘટે છે… એમાં ઘેટું એટલે શું?
    જવાબ જણાવવા વિનંતી…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment