સસાશીંગનું વહાણ જ કર્યું, મૃગતૃષ્ણામાં જઈને તર્યું;
વંધ્યાસુત બે વા’ણે ચઢ્યા, ખપુષ્પ વસાણાં ભર્યાં;
જેવી શેખસલીની ચાલી કથા, અખા હમણાં ને આગળ એવા હતા.
- અખો

આવવું – મનહર મોદી

આંખમાં આવવા નથી આવ્યો,
સાવ દરિયો થવા નથી આવ્યો.

ડાળખી ડોલવું નથી ભૂલી,
એમ દેખાડવા નથી આવ્યો.

હોય ચોખ્ખો તો મારે જોવો છે,
કાચને કાપવા નથી આવ્યો.

પાંપણે પટપટું તો પૂરતું છે,
છેક ઊંડે જવા નથી આવ્યો.

જાતને ખોલવા ઊભો છું હું,
બારણું વાસવા નથી આવ્યો.

– મનહર મોદી

મનહર મોદીની ગઝલોની એક ખાસિયત એ કે એ સહેલાઈથી છેતરી જઈ શકે છે. જરામાં એ દુર્બોધ-દુર્ગમ લાગે તો ઘડીમાં બાળરમત. પણ ગઝલના શેરને હળવેથી ખોલીએ તો છીપમાંથી મોતી જડવાનું સાનંદાશ્ચર્ય થાય એ નક્કી…

 

1 Comment »

  1. Yogesh Shukla said,

    August 23, 2015 @ 10:27 PM

    સરસ રચના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment