સ્મરણ છુપાયાં છે બે-ચાર મનના કાતરિયે,
પડે જો મેળ તો સાથે ઉતારીએ, આવો.
વિવેક મનહર ટેલર

ના તરછોડો – સંજુ વાળા

અધવચ ના તરછોડો
કોઈ કંઠનો હાર બનીને છોને મ્હાલે
.                 અમે રહીશું થઈને પગનો તોડો.
.                         જી…અધવચ ના તરછોડો

છોને ખૂણે પાળી-પોષી અમે ઉછેર્યું મબલખ,
એ મબલખની માથે ઊગ્યાં અણધાર્યાં આ દઃખ.
કેમ છોડીએ વાળે વાળે વાત પરોવી
.                    કચકચાવી બાંધ્યો જે અંબોડો !
.                         રે…અધવચ ના તરછોડો !

હજુ લોહીમાં રણઝણ થાતાં હાથ મળ્યાનાં કંપન,
એ કંપનના શરમશેરડા થયા આંખનું અંજન
ભરી તાંસળી દો છુટકારો એ જ હાથથી
.                      વહાલું, એ હાથે જો ડોક મરોડો.
.                         પણ…અધવચ ના તરછોડો !

– સંજુ વાળા

મીરાંબાઈ કૃષ્ણભક્તિનું કોઈ પદ લખે એ આરતથી સંજુ વાળા પ્રણયગીત આલેખે છે. ભલે પગનો તોડો બનાવીને રાખો, ભલે કોઈ બીજું ગળાનો હાર બની જાય પણ અમને અધવચ્ચેથી તરછોડશો નહીં. એક-એક વાળમાં પરોવેલી વાત અને જાતનું કલ્પન તથા આ પાર યા ઓ પારની ધંખા કવિતાને વધુ આસ્વાદ્ય બનાવે છે.

 

8 Comments »

  1. Rina said,

    September 5, 2014 @ 3:04 AM

    Ahaa… mast….

  2. Sanju Vala said,

    September 5, 2014 @ 3:12 AM

    Aabhar…. aabhar

  3. Dhaval Shah said,

    September 5, 2014 @ 11:16 AM

    હજુ લોહીમાં રણઝણ થાતાં હાથ મળ્યાનાં કંપન,
    એ કંપનના શરમશેરડા થયા આંખનું અંજન
    ભરી તાંસળી દો છુટકારો એ જ હાથથી
    . વહાલું, એ હાથે જો ડોક મરોડો.
    . પણ…અધવચ ના તરછોડો

    – વાહ !

  4. gandhi said,

    September 5, 2014 @ 3:04 PM

    સન્જુભાઈ ક્યા બાત હૈ….બહોત ખુબ…

  5. Sudhir Patel said,

    September 5, 2014 @ 3:14 PM

    સુંદર ગીત!

  6. Naresh Solanki said,

    September 5, 2014 @ 3:26 PM

    વાહ બહુત ખુબ …..!!!!

  7. preetam Lakhlani said,

    September 6, 2014 @ 10:01 PM

    સ્ંજુ દરબાર્, કઇક ભાળિ ગયા છે, અથવા કોઇક કુંડાળામાં તેમનો પગ પડી ગયો છે નહિતર આટલું હરિની નજીક રહીને આ કવિ આવી મનની વાત કવિતા મા લખી ના શકે !

  8. Sanju Vala said,

    July 9, 2016 @ 2:41 AM

    ખૂબ ખૂબ આભાર મિત્રો

    પ્રીતમભાઈ..
    ભાળી તો છે શબ્દ સાથેની મથામણ ! !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment