પ્રેમ – નગીન મોદી
મારો પહેલો પ્રેમ
વૃક્ષ
ને બીજો પ્રેમ
પુસ્તક
પણ કઠિનાઈ એવી કે
એક વૃક્ષ છેદાય ત્યારે
એક પુસ્તક પેદા થાય
ભલા, કોને ચહું
ને
કોને મૂકું.
-નગીન મોદી
સાવ નાનું અમથું આ અછાંદસ કદાચ એમાં વ્યક્ત થયેલા ઉદાત્ત ભાવના કારણે વાંચતાની સાથે જ સોંસરવું ઊતરી ગયું. સુરતના ડૉ. નગીન મોદી જાણીતા વિજ્ઞાન લેખક અને પર્યાવરણશાસ્ત્રી પણ ખરા. સરળ ભાષામાં એમણે બાળકો માટે જે વિજ્ઞાનકથાઓ, પ્રયોગ-પુસ્તિકાઓ અને પર્યાવરણને લગતી ઢગલાબંધ પુસ્તિકાઓ લખી છે એ માટે ગુજરાતી સાહિત્ય એમનું સદૈવ ઋણી રહેશે કેમકે કવિતા-નવલકથાઓ લખનારા તો હજારો મળી રહેશે.. એમના સેંકડો પુસ્તકોમાં પૃથ્વી અને પર્યાવરણ માટેનો એમનો પ્રેમ ઉનાળામાં મબલખ મહોરતા ગરમાળાની જેમ ઊડીને આંખે વળગે એવો છે. આ નાનકડું કાવ્ય એમના ‘તરુરાગ’ કાવ્યસંગ્રહમાંથી લીધું છે. આ આખા સંગ્રહમાં ફક્ત વૃક્ષ વિશેની કવિતાઓ જ છે…
(લયસ્તરોને તરુરાગ ભેટ આપવા બદલ નગીનકાકાનો આભાર… )
સુરેશ જાની said,
May 23, 2008 @ 1:38 AM
લગાવમાંથી ઉપસી આવતી લાગણી…
જેણે એ લગાવનો અનુભવ કર્યો હોય તે જ આમ લખી શકે.
ચીલાચાલુ કવીતાથી અલગ – આવકાર્ય અભીવ્યક્તી.
jayshree said,
May 23, 2008 @ 1:48 AM
સાચ્ચે હોં વિવેકભાઇ….
લાગી આવે એવી વાત કરી છે આ નાનકડી કવિતામાં… પર્યાવરણ અને પુસ્તક – બંનેને પ્રેમ કરનારને વિચારતા કરી દે છે આ કવિતા…
ચાંદસૂરજ said,
May 23, 2008 @ 3:12 AM
માતાને પૂછો કૅ કયું બાળક વધારે વહાલું તો એ મમતામૂર્તિ શું જવાબ આપે?
સુનીલ શાહ said,
May 23, 2008 @ 4:41 AM
કાવ્યમાં પુછાયેલ પ્રશ્ન સોંસરવો ઉતરી જાય તેવો છે..કવીની મુંઝવણ વીચારની નવી જ દીશા તરફ લઈ જાય છે. થોડા શબ્દોમાં ઘણુબધુ કહી ગયા આ પર્યાવરણપ્રેમી કવી..!
jayesh upadhyaya said,
May 23, 2008 @ 5:23 AM
વીસંગતી તરફ ધ્યાન દોરતી ચોટદાર રચના
pragnaju said,
May 23, 2008 @ 8:49 AM
ખૂબ સુંદર અછાંદસ
ડૉ. નગીન મોદી જેવા જાણીતા વિજ્ઞાન લેખક આ નગ્ન સત્ય વાતને કેવી સરસ રીતે રજુ કરે છે !
અને કાવ્ય માણવા સાથે તે અંગેનું ચીંતન શરુ થાય…કદાચ એટલે જ ઈ-પુસ્તકો,બોલતા પુસ્તકો જેવા કાગળ વગરના પુસ્તકોનો પ્રચાર થયો હશે?
nilamdoshi said,
May 23, 2008 @ 10:01 AM
સુન્દર કાવ્ય.આતિ સુન્દર ભાવના………એક કવિની સન્વેદના બહુ સર રીતે વ્યક્ત થઇ..
ધવલ said,
May 23, 2008 @ 10:53 PM
સુંદર કવિતા… !
Anal said,
May 24, 2008 @ 6:17 AM
Really nice poetry i like very much.