આપણી વચ્ચે જે છે એ યુદ્ધ છે કે શું છે, દોસ્ત ?
આપણી વચ્ચે છે આજે ચાંપતો અંધારપટ.
વિવેક મનહર ટેલર

નહીં રહે ?? -રવીન્દ્રનાથ ઠાકુર અનુ- ઉમાશંકર જોશી

અલ્પ લઈને રહું છું,
તેથી જ
મારું જે જાય છે
તે ચાલ્યું જાય છે,- ક્ભણર પણ
જો ખોવાઈ જાય તો
તો તેને માટે પ્રાણ ‘હાય હાય’ કરી ઉઠે છે.

નદીતટની પેઠે સતત
વૃથા જ
પ્રવાહને જકડી રાખવા ચાહું છું.
એક પછી એક
લહરીઓ હૈયા પર આઘાત કરીને
ક્યાંય ચાલી જાય છે.

જે જાય છે અને જે કંઈ રહે છે
તે બધું તમને સોંપી દઉં,
તો પછી ઘટવાનું નથી,
બધું જ તારા મહામહિમામાં જાગતું રહેશે .
તારામાં કેટલાય ચંદ્ર-સૂરજ રહેલા છે,
કદી અણુ-પરમાણુ પણ ખોવાતું નથી !!
મારું તુચ્છ ખોવાયેલું ધન તે શું તારા ચરણે નહીં રહે ??

-રવીન્દ્રનાથ ઠાકુર અનુ- ઉમાશંકર જોશી

ગુરુદેવના દરેક કાવ્યની એક ખાસિયત હોય છે જે મોટેભાગે કાવ્યને બે થી ત્રણ વાર વાંચતા બરાબર સમજાય છે – ઈશ્વરભક્તિના તેઓના તમામ કાવ્ય ભલે પહેલી નજરે સરખા જેવા જ લાગે, પરંતુ દરેકમાં એક સૂક્ષ્મ ભાવવિશ્વ આકાર લે છે. જેમ કે આ કાવ્યમાં તેઓએ પોતાની વિહવળતાનું કારણ પ્રસ્થાપિત કર્યા બાદ જાણે સ્વોક્તિ કરતા હોય તેમ ઇશાવાસ્ય ઉપનિષદના પ્રથમ શ્લોક-

ॐ ईशावास्यं इदं सर्वं यत् किञ्च जगत्यां जगत।
तेन त्यक्तेन भुञ्जिथाः मा गृधः कस्य स्विद् धनम् ।।

-ને સ્મરીને જાતનું સમાધાન કરે છે.

2 Comments »

  1. હાર્દિક said,

    May 12, 2014 @ 3:13 AM

    વાહ વાહ્..અને વાહ્…..

  2. narendrasinh said,

    May 12, 2014 @ 3:20 AM

    અત્યન્ત સુન્દર રચના અને અનુવાદ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment