લોહી ન નીકળે, પીડા થાય,
એ જખ્મોની ચિંતા થાય.
– કિરણસિંહ ચૌહાણ

ગઝલ – શ્યામ સાધુ

તારો વિચાર બારીના પડદે ઝૂલી ગયો,
દૃશ્યોનો ભેદ એ પછી દરિયે ડૂબી ગયો.

બે ડાળી વચ્ચે જાણે કે તડકો ગુલાબ છે,
મોસમનો રંગ કેટલો મીઠ્ઠો બની ગયો !

પથ્થરની જેમ હાંફતા પીળા શહેરમાં,
મારા સમયના મોરનો ટહુકો તૂટી ગયો.

આકાશ આમતેમ વીખરાઈ જાય પણ,
એકાદ સૂર્ય ઊગવું આજે ભૂલી ગયો.

એકાંતનો પરિચય કૈં એ રીતે થયો,
સૂનકાર તારી યાદની જેમ જ ઊગી ગયો !

– શ્યામ સાધુ

આ ગઝલ શામળદાસ મૂળદાસ સોલંકીની છે એમ કહીએ તો ભલભલા ભાવક બે ઘડી વિચારમાં પડી જાય. પણ આ ગઝલ વાંચો અને શ્યામ સાધુની છે એમ કહો તો પણ ભાવક બે ઘડી વિચારમાં તો પડી જ જાય. અનૂઠા કલ્પનવાળી જરા હટ કે ગઝલ…

4 Comments »

  1. સુનીલ શાહ said,

    March 21, 2014 @ 3:55 AM

    વાહ…મસ્ત ગઝલ.

  2. narendra said,

    March 21, 2014 @ 4:47 AM

    એકાંતનો પરિચય કૈં એ રીતે થયો,
    સૂનકાર તારી યાદની જેમ જ ઊગી ગયો ! વાહ

  3. Pancham Shukla said,

    March 21, 2014 @ 5:31 AM

    સરસ ગઝલ.

  4. sudhir patel said,

    March 21, 2014 @ 2:18 PM

    વાહ! સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment