બધું જલદી શીખવવાના તારા આયાસ રહેવા દે,
એ બાળક છે એના ખુલ્લાપણાના શ્વાસ રહેવા દે.
– હિતેન આનંદપરા

મુક્તક – મકરંદ દવે

ભલે રક્ષજે નાથ સંહારકોથી
પરંતુ વધુ તેથી ઉદ્ધરકોથી
મને બીક છે કે અમે ડૂબવાના
અમારા બની બેસતા તારકોથી

– મકરંદ દવે

3 Comments »

  1. pragnaju said,

    April 9, 2008 @ 10:42 AM

    નવરાત્રીની યમન- કેરવોમાં પ્રાર્થના
    વિશ્વંભરી જગદેશ્વરી ગિરિનંદીની જય હો તેરી
    હે શંકરી તું રક્ષ મામ પરમેશ્વરી તું પાહી મામ
    ભવ તારીણી ભયભંજની ગિરિનંદીની જય હો તેરી
    પણ અહીં તો મુક્તકમાં કવિ
    ભલે રક્ષજે નાથ સંહારકોથી
    પરંતુ વધુ તેથી ઉદ્ધરકોથી
    અને તારકોથી!
    કટાક્ષથી કેવું સત્યદર્શન!

  2. Dilip makvana(Dilraj) said,

    April 12, 2008 @ 5:24 AM

    “કહે સબ કોઇ,
    દુબે જો કોઇ.
    એક તન્ખલુ પન બસ,
    જો સમ કિનરો હોઇ.”

    –િદ્િલ્પ મકવાના ( “િદ્લ્રાજ” ્)

    મને ખબર નિથ્ કે મારે માિર્ કિવ્તા કેિવ રેીતે મોકલ્વેી…….. માતે અહેી મોકલુ ચ્હુ

  3. nilam doshi said,

    April 12, 2008 @ 10:15 AM

    મકરંદ દવેનું મારું આ પ્રિય મુકતક છે. મારી ડાયરીના પાનાઓમાં આજે પણ છે. અહીં ફરી એકવાર માણવાની મજા આવી.

    સામાન્ય રીતે ગધ્ય લખું છું.. પણ પધ્ય વિનાનું ગધ્ય લખવું મારા માટે અઘરું બની જાય છે. કવિતાની સુંદર પંકિતઓ ગધ્યનું ઘરેણુ છે..શણગાર છે…મારા માટે તો ખરું જ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment