શક્યતાને આ રીતે સાંધો નહીં,
ઉંબરા પર ઘર તમે બાંધો નહીં.
એટલી ખૂબીથી ચાદરને વણી,
ક્યાંયથી પણ પાતળો બાંધો નહીં.
અંકિત ત્રિવેદી

ગઝલ – ભરત વિંઝુડા

લાજ રાખજે હે પરમેશ્વર
મારું ઘર પણ છે તારું ઘર !

લાગે જે સૌનાથી સુંદર
એ સુંદરતા પણ હો ભીતર !

મારી સામે બેસ ઘડીભર
બાજુમાં મૂકીને જીવતર !

ચારે બાજુ હોય ફકત તું
ધરતી ફરતે જેમ સમંદર !

હું જ નથી રહેવાનો ત્યારે
હોય કહેવાનું શું આખર !

– ભરત વિંઝુડા

ભરત વિંઝુડા સરળ બાનીમાં ચોટદાર વાત કહી શકનાર જૂજ ગઝલકારોમાંના એક છે.. ટૂંકી બહેરની ગઝલના બધા જ શેર સરળ, સહજ અને ચોટદાર !

7 Comments »

  1. narendrasinh said,

    March 1, 2014 @ 3:06 AM

    હું જ નથી રહેવાનો ત્યારે
    હોય કહેવાનું શું આખર ! WWAH

  2. lalit trivedi said,

    March 1, 2014 @ 12:45 PM

    ગુજ્ર્રરાતેી ભાષાનેી અદભુત ગઝલ અભિનન્દન !

  3. Sudhir Patel said,

    March 1, 2014 @ 1:17 PM

    ખૂબ સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  4. Maheshchandra Naik (Canada) said,

    March 2, 2014 @ 12:24 AM

    સરસ ટુકી બહેરની ગઝલ……………………….

  5. Harshad said,

    March 2, 2014 @ 11:07 AM

    Really heart touching..!!!

  6. Mehul A. Bhatt said,

    March 3, 2014 @ 1:05 PM

    હું જ નથી રહેવાનો ત્યારેહોય કહેવાનું શું આખર ! khoob gamelo sher

  7. સુનીલ શાહ said,

    March 4, 2014 @ 9:38 AM

    વાહ કવિ…!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment